SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ રહી છેતેનો વધારો કર્યા બાબતમાં સાવ અલીઓ પાસે છે. ઉપવાસને છએ કે ભારે કે વધારે ખોરાક ખાધા પછી આપણું મગજ બરોબર કામ કરી શક્યું નથી. જે લોકોને બુદ્ધિનું વધારે કાર્ય કરવાનું હોય કે ચિંતન કરવું હોય તેણે ખોરાક અલ્પ માત્રામાં લેવો જોઈએ. તેથી તો આપણે ઉણોદરીને મિતાહારને તપ ગયું છે. ઘણા લોકો સાધનામાં ઉપવાસનો ખૂબ આગ્રહ રાખે છે તે પણ બરોબર નથી. કદાચ કોઈ મહાત્માને અધિક ઉપવાસથી વાંધો ન આવ્યો હોય તેથી કંઈ આપણને પણ વાંધો નહિ આવે એમ ન માની લેવાય. ઉપવાસ કરવાની શક્તિનો આધાર પણ વ્યક્તિગત ક્ષમતા ઉપર છે. કોઈના શરીરનું ચયાપચયનું તંત્ર એવું હોય કે જે ઘણા લાંબા સમય સુધી આહાર વિના ચલાવી શકે અને છતાંય તેના શરીરનું સંચાલન યથાયોગ્ય રહી શકે. આ બધી વાતોમાં અપવાદ વધારે હોય છે; અને વ્યક્તિગત ક્ષમતા ઉપર તેનો વધારે આધાર રહે છે. ઉપવાસને સર્વસામાન્ય બનાવી દેવાથી સાધનામાં મુશ્કેલીઓ ઉપસ્થિત થવાનો સંભવ વધારે છે. આ બાબતમાં સાધકે મધ્યમ માર્ગનો આશરો લેવાનું વધારે હિતાવહ છે. અનશન જેટલું મહત્ત્વનું છે એટલું બલ્ક એનાથીય વધારે મહત્ત્વનું અશનએટલે ખાવાનું છે. ઉપવાસમાં તો એક જ વાત ધ્યાન રાખવાની છે કે ખાવું કે નહિ ? જ્યારે અશનમાં એટલે ભોજનમાં - આહાર ગ્રહણ કરવાની બાબતમાં તો ઘણો વિવેક રાખવાનો છે. - ભોજનમાં ક્યા પદાર્થો લઈએ છીએ, કઈ માત્રામાં આહાર લઈએ છીએ એ વાતો તો મહત્ત્વની છે જ પણ તે ઉપરાંત ભોજન કયા સમયે લઈએ છીએ, કઈ ભાવના સાથે લઈએ છીએ તે વાતો પણ ખૂબ મહત્ત્વની છે. પાચનતંત્ર ઉપર સૂર્યની શક્તિનો પ્રભાવ પડે છે. તેથી ભોજન કરવાના સમયનું ખૂબ મહત્ત્વ છે. ભોજન સમયે આપણી જે માનસિક પરિસ્થિતિ હોય તેનો પ્રભાવ આપણા પાચનતંત્ર ઉપર ઘણો પડે છે. આમ, ભોજનની બાબત આપણે ઘણો ખ્યાલ રાખવો પડે છે. ભોજન પહેલાં ધ્યાન રાખવાનું હોય છે. એટલું જ ભોજન પછી પણ ધ્યાન રાખવાનું રહે છે. ભોજન લીધા પછી પણ આપણી માનસિક પરિસ્થિતિ કેવી રહે છે તે પણ મહત્ત્વની વાત છે. શ્રમનું જીવનમાં મહત્ત્વ તો છે – મહાવીરની સાધનાનો મર્મ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005328
Book TitleMahavirni Sadhnano Marm
Original Sutra AuthorChandrahas Trivedi
Author
PublisherAnekant Bharati Prakashan
Publication Year1994
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy