________________
શ્રીમદ્ રાજચંદ્ર વેદાંત વિષે આ કાળમાં ચરમશરીરી કહ્યા છે. જિનના અભિપ્રાય પ્રમાણે પણ આ કાળમાં એકાવતારી
જીવ થાય છે. આ કાંઈ થોડી વાત નથી; કેમકે આ પછી કાંઈ મોક્ષ થવાને વધારે વાર નથી. સહેજ કાંઈ બાકી રહ્યું હોય, રહ્યું છે તે પછી સહેજમાં ચાલ્યું જાય છે. આવા પુરૂષની દશા; વૃત્તિઓ કેવી હોય? અનાદિની ઘણી જ વૃત્તિઓ સમાઈ ગઈ હોય છે કે. અને એટલી બધી શાતિ થઈ ગઈ હોય છે કે, રાગદ્દેષ બધા નાશ પામવા ગ્ય થયા છે, ઉપશાંત થયા છે.
સવૃત્તિઓ થવા માટે જે જે કારણે, સાધને બતાવેલાં હોય છે તે નહીં કરવાનું જ્ઞાની કહેતા જ નથી; જેમ રાત્રે ખાવાથી હિંસાનું કારણ દેખાય છે, એટલે જ્ઞાની આજ્ઞા કરે જ નહીં કે તું રાત્રે ખા. પણ જે જે અહંભાવે આચરણ કર્યું હોય, અને રાત્રિભોજનથી જ અથવા ફલાણાથી જ મેક્ષ થાય, અથવા આમાં જ મિક્ષ છે, એમ દુરાગ્રહથી માન્યું હોય તે તે દુરાગ્રહ મુકાવવાને માટે જ્ઞાની પુરુષે કહે કે, “મૂકી દે; તારી અહંવૃત્તિએ કર્યું હતું તે મૂકી દે. અને જ્ઞાની પુરુષની આજ્ઞાએ તેમ કર અને તેમ કર તે કલ્યાણ થાય.”
અનાદિકાળથી દિવસે તેમ જ રાત્રે ખાધું છે, પણ જીવને મિક્ષ થયે નહીં!
આ કાળમાં આરાધકપણાનાં કારણે ઘટતાં જાય છે, અને વિરાધકપણાનાં લક્ષણે વર્ધમાનતા પામતાં જાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org