SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ તિવિહેણ વ'દામિ હતા. વળી કવિ પણ હતા. ગુજરાતી તેમજ સૌંસ્કૃત ભાષામાં તેમણે ઘણી રચનાઓ કરી છે. એમણે આય રક્ષિતસૂરિ, કલ્યાણસાગરસૂરિ અને ગૌતમસાગરસૂરિનાં ચરિત્રો સ`સ્કૃત ભાષામાં રચેલ છે. આ ઉપરાંત ‘પર્વકથાસ’ગ્રહ', ‘શ્રીપાળચરિત્ર’, ‘પાર્શ્વનાથચરિત્ર' વગેરે ગ્રંથ લખેલા છે. એમણે અનેક સ્તવના, મોટી પૂજા, ચાઢાળિયાં. સ્તુતિએ, દુહાઓ પ્રાર્થનાઓ વગેરેની રચના કરી છે. સ ંસ્કૃત અને ગુજરાતીમાં ગદ્યમાં અને પદ્યમાં એમના હાથે વિપુલ સાહિત્ય લખાયુ. છે; એ એમની જેવીતેવી સિદ્ધિ નથી. એમનાં કેટલાંય સ્તવને “રાજની ધાર્મિક વિધિમાં અનેક લોકોના મુખે આજે પશુ ગવાતાં રહ્યાં છે. ૨ પૂ. ગુણસાગરજી મહારાજ પાતાના ચારિત્રપાલનમાં અત્યંત ચુસ્ત રહેતા, વૃદ્ધાવસ્થામાં પણ તેઓ શિષ્યાની સેવા આછી લેતા અને અપ્રમત્ત ભાવમાં રહેતા. ગૃહસ્થાએ વહેારાવેલાં નવાં વસ્ત્રો પણ તેઓ કરચલી પાડી પછી જ વાપરતા, તેએ સાચે જ કહેતા અને શિષ્યાને સલાહ આપતા કે સાધુને નવાં વસ્ત્રો શેલે નહિ. એક વખત એમને હાથની આંગળીએ ગુમડુ થયું અને એક શિષ્ય પાટો બાંધવા નવું કપડુ' લઈ આવ્યા તે તે તેમણે સ્વીકારેલું નહિ અને જૂના કપડાના પાટો બાંધ્યા હતા. તેઓ કદી ભીંતે અઢેલીને બેસતા નહિ. શિષ્યાને અધ્યયન કરાવવામાં કે વાચના આપવામાં તે આળસ કરતા નહિ. પુ. ગુણુસાગરજી મહારાજના પ્રથમ સપ`મારે સ ૨૦૩૨માં રાજસ્થાનમાં બાડમેરમાં થયા હતા. એમના વિદ્વાન Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005326
Book TitleTivihen Vandami
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1993
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy