________________
ધન્ય તે મુનિવરા રે ધન્ય તે મુનિવરો ર જે ચાલે સમભાવે; ભવસાગર લીલાએ ઊતરે, સંયમ કિરિયા નાવે. ભોગપંક તજી ઉપર બેઠા, પંકજ પર જે ન્યારા; સિહ પરે નિજ વિક્રમ શરા, ત્રિભુવન જન આધારા. જ્ઞાનવંત જ્ઞાનીશું મળત, તન-મન-વચને સાચા; દ્રવ્યભાવ સુધા જે ભાખે, સાચી જિનની વાચા. મૂલ ઉત્તરગુણ સંગ્રહ કરતા, તજતા ભિક્ષા દે; પગ પગ ત્રદૂષણ પરિહરતા, કરતા સંયમ પો. મોહ પ્રતે હણતા નિત આગમ ભણતા સદગુરુ પાસે; દુષમકાલે પણ ગુણવંતા, વરતે શુભ અભ્યાસે. છઠ્ઠ ગુણઠણું ભવ અડવી ઉલંઘણ જેણે લહિઉં; તસ સોભાગ સકલ મુખ એકે, કેમ કરિ જાએ કહિઉં ? ગુણઠાણની પરિણતિ જેહની, ન છીપે ભવ જ જાલે; રહે શેલડી ઢાંકી રાખી, કેતી કાલ પરાલે? તેહવા ગુણ ધરવા અધીરા, જે પણ સૂવું ભાખી, જિનશાસન શોભાવે તે પણ, સુધા સંવેગ પાખી.
ધન્ય તે મુનિવરા રે.
–ઉપાધ્યાય શ્રી યશોવિજયજી
12
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org