________________
દષ્ટિકોણ અથવા ઉપચારનો દષ્ટિકોણ જ્ઞાન અને જીવન વ્યવહારમાં યોગ્યતા (ઉચિતપણું) સ્થાપે છે. જ્ઞાન અને વ્યવહાર વચ્ચેનું અંતર મટાડી દે છે. પરિગ્રહી કોને કહેવાય ?
પ્રશ્ન થયો કે- શું જ્ઞાની માણસ પરિગ્રહ નથી કરતો ? ઉત્તર હતો. જ્ઞાની માણસ પરિગ્રહ કરતો નથી. ભોજન એ પરિગ્રહ ન કહેવાય ? મકાનમાં રહેવું એ પરિગ્રહ ન કહેવાય ? આ પ્રશ્નો વિશે આચાર્ય કુકુન્દના વિચારો બહુ મહત્ત્વના છે. પરિગ્રહી તે કહેવાય જેના મનમાં ઇચ્છા હોય. જ્ઞાન અને અજ્ઞાન વચ્ચે ભેદરેખા દોરતાં આચાર્યે કહ્યું- જેના મનમાં ઇચ્છા ઉત્પન્ન થતી હોય તે અજ્ઞાની છે
अपरिग्गहो अणिच्छो भणिदो, गाणी य णेच्छदे धमं । अपरिग्गहो दु धम्मस्स जाणगो तेण सो होदि ।।
ઇચ્છા અને અજ્ઞાન, અનિચ્છા અને જ્ઞાન એ એક વિચિત્ર રેખા છે. પ્રશ્ન એ થાય કે- શું જ્ઞાની માણસ ઇચ્છા કરતો નથી ? શું જ્ઞાની માણસને | ભૂખ ન લાગે ? ભૂખ લાગે ત્યારે શું તે ભોજનની ઈચ્છા ના કરે ? માણસને જ્યારે ઇચ્છા થાય ત્યારે જ તે ભોજન કરે છે. આચાર્ય મુકુન્દ 'ઇચ્છા' શબ્દને સામાન્ય અર્થમાં પ્રયોજ્યો નથી. એમના કહેવાનું તાત્પર્ય એ છે કે તે ઈચ્છા ઈચ્છા જ નથી. જે ઇચ્છા સાથે કોઈ આસફિત ન હોય, આકર્ષણ ન હોય. આકર્ષણ કે આસક્િત સાથે જે માગણી ઉત્પન્ન થાય તે ઇચ્છા કહેવાય. ઈચ્છા - અનિચ્છા :
આ વાતને આપણે ઉદાહરણથી સમજીએ. બુદ્ધિમાં મહેલ રહે તે ઇચ્છા અને મહેલમાં માણસ રહે તે અનિચ્છા. કેટલો બધો ફેર છે. માણસ મહેલમાં રહે એ એક વાત અને બુદ્ધિમાં મહેલ રહે એ બિલકુલ જુદી વાત છે. દિમાગમાં ભોજન રહે એ અનિચ્છા નથી, જ્ઞાન નથી. ભોજન જો માત્ર હાથથી મોઢામાં જાય તો એ જ્ઞાનીનું ભોજન છે અને ભોજન દિમાગમાં રહે તો તે અજ્ઞાનીનું ભોજન છે. માણસ કેટલા મનસૂબા કરે છે ! એ વિચારે કે આજે ઋતુ બહુ સારી છે. શીરો ખાવો જોઈએ. વડાં-પકોડાં (ભજિયા) થવાં જોઈએ. આ થવું જોઈએ, તે થવું જોઈએ. એનો અર્થ એ કે એના ભેજામાં ભોજન રહે છે. કોઈ કોઈ વખત માણસ ઉપવાસ કરે છે. દિવસ જતો જાય તેમ ઉપવાસની અસર થવા માંડે. રાત્રે ઊંઘ ન આવે, એ પારણાનો વિચાર કરે કે- ઉપવાસનાં પારણાંમાં શું ખાઈશ ? પારણાં વખતે
સમયસાર ૦ 80
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org