SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ તમારા જૈનમરચન્ટમાં એવું એક પણ ઘર મળે કે દિવસમાં એક વાર ઝઘડો ન થાય? સભા આખા પાલડી વિસ્તારમાં ન મળે. પણ સાહેબ ! બુદ્ધિશાળીમાં જ ઝઘડા થાય ને? મ.સા. તો આ બધા મૂર્ખ હતા? સભાઃ ઇચ્છાથી જોઇએ તેટલું મળતું હતું ને? મ.સા. તમે પચ્ચખ્ખાણ કરો કે વગર મહેનતે જે મળે તે બાબતમાં ઝઘડો નહિ કરું. અરે વગર મહેનતે નાનું ટેબલ મળ્યું હશે તો પણ, કોઈ એમને એમ ઉપાડી જશે તો લઈ જવા દેશો? સભા : નિમિત્ત વિના તો મંદ કષાયો જ હોય ને? મ.સા. અંદર હોળી સળગે છે તેનું શું? સભા અંદર હોળી થાય, બહાર ન આવે, તો ચાલે ને? મ.સા. કર્મ અંદર વ્હાર બન્નેથી બંધાય છે. સભા ત્યાં જન્મથી સુખો હોય એટલે આપણે ત્યાં જ જન્મીએ તો સારું ને? મ.સા. આપણા બાપનું રાજ છે? એ ભવ એમને એમ મફતમાં નથી મળતો. પુણ્ય બાંધો પછી ભવ મળે. સભાઃ શું કરીએ તો યુગલિક થવાય? મ.સા. શાસ્ત્રમાં એકેન્દ્રિય બેઇન્દ્રિય/તે ઇન્દ્રિય/ચઉરિન્દ્રિય/પંચેન્દ્રિય, તેમાં પણ નારક, મનુષ્ય તેમાં પણ યુગલિકો, દેવલોક તેમાં હલકા-ઊંચા દેવો; બધાના ભવા માટેના કેવા અધ્યવસાયો મનોભાવ જોઇએ, તેના ચાર્ટ તૈયાર જ છે. યુગલિક એક પણ દિવસ ધમરાધન નથી કરતા છતાં શાસ્ત્ર કહે છે, મરીને દેવલોકમાં જશે; કેમકે મંદકષાય છે. વ્યાખ્યાન : ૬ તા-૮-૬-૯૬, શનિવાર. અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ જગતના જીવમાત્રના આ ચોરાસી લાખ યોનિરૂપ, ચતુર્ગતિરૂપ સંસારનો ઉચ્છેદ કરાવવા ધર્મતીર્થની સ્થાપના કરે છે. મહાપુરુષોની દષ્ટિએ આપણે બધા ચાર ગતિ-ચોરાસી લાખ યોનિમાં રખડ્યા કરીએ તે બરાબર નથી. વારંવાર જન્મ-મરણ, આધિ-વ્યાધિ-ઉપાધિમય જીવન આત્મા - સદ્દ્ગતિ તમારા હાથમાં !) કે , ૩૮) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005324
Book TitleSadgati Tamara Hathma
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year2000
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy