SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાય છે – ઉપવાસ. ઉપવાસથી પાચનતંત્રને વિશ્રામ મળે છે. જ્યારે તેને વિશ્રામ નથી મળતો ત્યારે તે પોતાનું કાર્ય પૂરું કરી શકતું નથી. સમગ્ર શરીર તેનાથી પ્રભાવિત થાય છે. જીવનનો આધાર પાચનતંત્ર છે. સામાન્ય રીતે શ્વસનતંત્રને મહત્ત્વ આપવામાં આવે છે, પરંતુ શ્વસનતંત્રની સ્વસ્થતાનું કારણ શું છે તે તરફ ધ્યાન જતું નથી. પાચનતંત્ર બરાબર ન હોય તો શ્વાસની બીમારી થઈ જાય છે. શ્વાસને પાચનતંત્ર જ પ્રભાવિત કરે છે. પાચનતંત્ર, આમાશય, પક્વાશય, લિવર, પ્લીહા વગેરે જો બરાબર કાર્ય કરતાં હોય તો આરોગ્ય જળવાઈ રહે છે અને જો શરીરના આ અવયવો બરાબર નહિ હોય તો આરોગ્યની ઈચ્છા વ્યર્થ છે. પેન્ક્રિયાજ બરાબર ન હોય તો આરોગ્ય નહિ રહે. એક ભાઈએ કહ્યું કે મારો નાનો ભાઈ મૃત્યુ પામ્યો. તેને માત્ર ડાયાબિટિશની બીમારી હતી. તેણે આ સહજ રૂપે કહ્યું. તે એ સમજ્યો કે ડાયાબિટિશની બીમારી તમામ બીમારીઓનું મૂળ છે. તે અન્યાન્ય બીમારીઓને માટે આમંત્રણ છે. તેનાથી કિડની નબળી પડે છે, સમગ્ર શરીર ખોખલું બને છે. ઊણોદરી જે લોકો ઉપવાસ ન કરતા હોય તેમણે ઊણોદરી કરવી જોઈએ. ઊણોદરી એટલે ભૂખ હોય તેના કરતાં ઓછું ખાવું. ઇતિહાસ આ વાતનો સાક્ષી છે કે ઓછું ખાનારા લોકો સ્વસ્થ રહેતા હતા. દીર્ધાયુ હતા. ઠાંસી ઠાંસીને ખાનારા લોકો બીમાર પડતા હતા, અલ્પ આયુષ્યમાં મૃત્યુ પામતા હતા. ઊણોદરી પણ ઉપવાસ કરતાં ઓછા મહત્ત્વની નથી. અલ્પાહાર આરોગ્યનું બહુ મોટું સૂત્ર છે. પ્રાચીન સમયમાં નાસ્તો કરવાની પ્રથા નહોતી. આજે તેનું વિશેષ પ્રચલન જોવા મળે છે, પરંતુ આજે એક આંદોલન ચાલી રહ્યું છે કે નાસ્તો ન કરો. સ્વસ્થ રહેવું હોય તો નાસ્તો છોડી દો. [‘એગભd ચ ભોયણ” – એક વખત ભોજન કરો તો બીમારીઓ નહિ આવે. મહાવીરના કષ્ટસહન કરવા પાછળ આહારવિવેક મુખ્ય હતો. - અલ્પાહાર દ્વારા શક્તિનો સંચય થાય છે. શક્તિનો વ્યય ઓછો થાય છે. નાભિની આસપાસ પ્રાણઊર્જા પેદા થાય છે. તેને હઠયોગમાં “સમાનપ્રાણ” કહે છે. નાભિ કેન્દ્ર પ્રાણઊર્જા પેદા કરવાનું કેન્દ્ર છે. - આ ઊર્જા શરીરના સંચાલનનું મુખ્ય તત્ત્વ છે. અધિક ભોજન કરનાર છે. તે મહાવીર હર C: Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005323
Book TitleMahavirnu Aarogya Shastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1998
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy