SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ તે એવી અવસ્થાએ કરે છે કે જાણે તેઓ આ સંસારમાં દસ-વીસ કલાકના મહેમાન હોય તથા અસાધ્ય બીમારીની અવસ્થામાં એવું કરે છે. અનશન કર્યા પછી તેઓ દસ-વીસ દિવસ જીવે છે અને તે સ્વસ્થતાનો અનુભવ કરતાં-કરતાં જીવે છે. તેમની બીમારીનું દૂર થઈ જવું, આંખોની જ્યોતિ પુનઃ પાછી આવવી, બોલી ન શકવાની સ્થિતિમાંથી છૂટીને બોલવા માડવું, શરીરમાં ચમકનો પાદુર્ભાવ જેવી અનેક સ્થિતિઓ અનશન દ્વારા ઘટે છે. આવું એટલા માટે થાય છે કે શરીરમાં જે વિજાતીય તત્ત્વો જમા હતાં, તેમનું રેચન શરૂ થઈ જાય છે. જેટલું વિજાતીય તત્ત્વોનું રેચન થાય છે, એટલી શરીરના અવયવોની શક્તિ વધી જાય છે. શરીરશાસ્ત્રના મત મુજબ એમ માનવામાં આવે છે કે માણસનાં ફેફસાંમાં, હૃદય અને કિડનીમાં ત્રણસો વર્ષ સુધી કાર્ય કરવાની શક્તિ છે, ક્ષમતા છે. આજે પણ તે અવયવો એટલા સમય સુધી કાર્ય કરવા માટે શક્તિ-સંપન્ન છે, પરંતુ તેમની શક્તિના ક્ષયનું એક મુખ્ય કારણ બને છે – આહાર. હિતાહાર : મિતાહાર ભગવાન મહાવીરે આધુનિક શરીરશાસ્ત્રી અને પોષણશાસ્ત્રીની જેમ એવું વિશ્લેષણ નથી કર્યું કે શરીરના પોષણ માટે કેટલું વિટામીન, કેટલું લવણ, કેટલો ક્ષાર જોઈએ; પરંતુ તેમણે આહાર બાબતે બે મહત્ત્વપૂર્ણ શબ્દો આપ્યા – હિતાહાર અને મિતાહાર. જે વ્યક્તિ હિતકર આહાર લે છે, જે વ્યક્તિ મિતભોજી હોય છે તે સ્વસ્થ રહે છે. તેની ચિકિત્સા માટે વૈદ્યની જરૂર પડતી નથી. તે પોતાની ચિકિત્સા પોતે જ કરી લે છે. તે પોતે જ પોતાનો વૈદ્ય છે. જો કે આહાર વિષયક આ બંને શબ્દો મુનિ માટે પ્રયોજવામાં આવ્યા છે, પરંતુ આ બંને શબ્દો પ્રત્યેક મનુષ્ય માટે લાગુ પડે છે. આજના શરીરશાસ્ત્રીઓ પણ આ વિષયને સમર્થન આપે છે. તેઓ કહે છે કે વ્યક્તિએ દરરોજ દૂધ, દહીં, ઘી, માખણ, મીઠાઈઓ ખાવાં ન જોઈએ. આ પદાર્થો હિતકર નથી. તે અમ્લતા પેદા કરનારા છે, આ ઝેર પેદા કરનારા છે. તેમનું દરરોજ સેવન કરવાથી ઝેરનો સંગ્રહ તે થાય છે અને તે ઝેર રોગનું મૂળ છે, જડ છે. ક્યારેક ક્યારેક આપણ " પદાર્થોને છોડવા પણ જોઈએ. આજના ચિકિત્સકો ઔષધિની સાથે શકાગ મહાવીરનું આરોહમાયા ૮૧માં છે. --- Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005323
Book TitleMahavirnu Aarogya Shastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1998
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy