SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનશૈલી અને આરોગ્ય જીવનનો પ્રત્યક્ષ સંબંધ શરીર સાથે તથા પરોક્ષ સંબંધ મનનાં અનેક ઉપાદાનો અને નિમિત્તો સાથે છે. ભગવાન મહાવીરે જે તત્ત્વોનું પ્રતિપાદન કર્યું, તેમાં મુખ્ય તત્ત્વ સંયમ છે. મહાવીરના આ દૃષ્ટિકોણ મુજબ જીવનશૈલી સંયમપ્રધાન હોવી જોઈએ. સમતા, સંતુલન વગેરે અનેક તત્ત્વો છે. તે તમામનો સંયમ સાથે સંબંધ છે. દરેક વ્યક્તિ સમતા, સંતુલન વગેરે ઈચ્છે છે પરંતુ જ્યાં સુધી સંયમની સાધના થતી નથી ત્યાં સુધી ન તો સમતા આવે છે, ન ઉપશમ આવે છે કે ન તો સંતુલન આવે છે. સામાન્ય રીતે સંયમનો અર્થ ખૂબ જ સીમિત સમજવામાં આવે છે. આપણે તેને વ્યાપક અર્થમાં સમજવો પડશે. એમ જ સમજવામાં આવે છે કે કોઈ ખાસ પ્રકારનું વ્રત લેવું એ સંયમ છે. પતંજલિના મત મુજબ સંયમ એટલે ધારણા, ધ્યાન અને સમાધિ ત્રણેયનો એકત્ર યોગ. માત્ર ધારણા, માત્ર ધ્યાન અથવા માત્ર સમાધિ સંયમ નથી. ત્રણેયનો એકત્ર યોગ એ જ સંયમ છે. આધુનિક પરિપ્રેક્ષમાં મહાવીર દ્વારા પ્રતિપાદિત સંયમનો અર્થ છે – મસ્તિષ્કીય નિયંત્રણ. જ્યાં સુધી મસ્તિષ્કના અનેક પ્રકોષ્ઠો, તેમના સંબંધો અને વિભાગો વિશે વિચાર ન કરીએ ત્યાં સુધી સમતા, ઉપશમ અને સંતુલનની સાધના થઈ શકતી નથી. મસ્તિષ્કનો એક ભાગ ઈમોશનલ બ્રેઈન છે. તેનો સંબંધ ઈમોશન્સ સાથે છે. આ ઉપશમ, કષાય-વિજય વગેરે ત્યારે જ શક્ય બને છે જ્યારે ઈમોશનલ બ્રેઈન ઉપર નિયંત્રણ હોય છે. છે . તેની માવડો થાયallણ મન For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org
SR No.005323
Book TitleMahavirnu Aarogya Shastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1998
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy