SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ અનેક ડૉક્ટરો પણ કહે છે કે રાત્રે ન ખાશો, રાત્રે ભોજનનું પાચન બરાબર થતું નથી. આયુર્વેદનો સિદ્ધાંત છે કે એક વખત ભોજન કર્યા પછી જ્યાં સુધી ખાધેલું અનાજ પાચનતંત્રમાં ન પહોંચી જાય ત્યાં સુધી સૂવું ન જોઈએ. નહિતર પાચનમાં વિકાર પેદા થઈ જશે. પાચનતંત્રની જે ગરબડો છે, એસીડીટીની જે સમસ્યા છે તેનું એક મુખ્ય કારણ એ જ છે કે વ્યક્તિ ભોજન કરીને તરત જ સૂઈ જાય છે. રાત્રે અગિયાર-બાર વાગ્યે ભોજન કરીને તરત સૂઈ જાય છે. રાત્રે એમ પણ પાચન ઓછું થાય છે અને વળી જમ્યા પછી તરત જ સૂઈ જવામાં આવે તો ગરબડ પેદા કેમ ન થાય ? કોઈ યુવાન માણસ આવી સ્થિતિને કદાચ સહન કરી પણ લે, પરંતુ કોઈ વૃદ્ધ વ્યક્તિ તો આવી સ્થિતિમાં બીમારીને આમંત્રણ આપી બેસે છે જ. ભોજન ક્યારે કરવું? આરોગ્યની દૃષ્ટિએ વિચાર કરીએ તો ભોજનનો સમય સૂર્યોદય પછી હોય છે. મહાવીરના સિદ્ધાંતની મીમાંસા કરીએ તો કહી શકાશે કે ભોજનનો સમય સૂર્યોદયથી અડતાળીસ મિનિટ પછીનો હોવો જોઈએ. જૈન સાધનાનું પ્રસિદ્ધ સૂત્ર છે – નવકારસી. તેનું તાત્પર્ય છે – સૂર્યોદય પછી અડતાળીસ મિનિટ સુધી કશું જ ખાવું જોઈએ નહિ. આરોગ્ય માટે એમ પણ કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી સૂર્યોદય પછી બે ત્રણ કલાક ન વીતી જાય ત્યાં સુધી અનાજ કે ભારે પદાર્થો ખાવા ન જોઈએ. તેનું કારણ સ્પષ્ટ છે. રાત્રે પાચનતંત્ર નિષ્ક્રિય રહે છે. સૂર્યોદય પછી સૂર્યનાં કિરણો મળે છે અને પાચનતંત્ર સક્રિય બની જાય છે. જ્યાં સુધી પૂર્ણ સક્રિય ન બની જાય, ત્યાં સુધી સુપાચ્ય ભોજન જ લાભદાયક બની શકે છે. પાચનતંત્રની નિષ્ક્રિયતાની સ્થિતિમાં જે કાંઈ ખાવામાં આવે છે તે અધકચરું રહી જાય છે. જે પાચકસ્ત્રાવ થવા જોઈએ તે પાચનતંત્રની નિષ્ક્રિયતાની સ્થિતિમાં ઋવિત થતા નથી, તેથી ખાધેલું ભોજન | પચતું નથી. તે વિકૃતિનું કારણ બની જાય છે. કેટલી વખત ખાવું? - ભોજનના સંદર્ભમાં મહાવીરનો એક સિદ્ધાંત છે – એગભાત ચં ભોયણ – દિવસમાં એક વખત ભોજન કરો. વારંવાર અને વધુ સ ન મહાવીરનું આરોગ્યશાસ્ત્ર + ૧૫૩, હે મહાવીર આયુEાસ્ત્ર ) લક Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005323
Book TitleMahavirnu Aarogya Shastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1998
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy