SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ આપો, આદેશ આપો, તેને ભાવના અથવા અનુભૂતિના સ્તર ઉપર લઈ જાવ અને જેવા ઇચ્છો તેવા બનો. એક વાત તરફ અવશ્ય ધ્યાન આપવું જોઈએ કે તે માત્ર સ્મૃતિમાત્રથી નહિ બને. તેની પ્રક્રિયાની સાથે સમયનો બોધ પણ જોડાયેલો છે. ઓછામાં ઓછો અડધો કલાક અથવા અડતાળીસ મિનિટ સુધી તેનો પ્રયોગ ન થાય તો કશું જ પરિણામ આવતું નથી. જો પરિવર્તન લાવવું હોય તો સમયનું અપેક્ષિત નિયોજન કરવું પડશે. જો સમયનું નિયોજન ન કરી શક્યા તો અનુપ્રેક્ષાને દોષ ન દેશો. એક સામાયિકનો સમય સૌથી યોગ્ય સમય ગણાવ્યો છે. અડતાળીસ મિનિટનો સમય આપણી ભાવધારાને એકરૂપમાં બનાવી રાખવાનો સમય છે. આપણે એટલા સમયનું નિયોજન દરરોજ કરવું જોઈએ અને કોઈ સમસ્યાને લઈને બેસવું જોઈએ. ઓછામાં ઓછાં ત્રણ સપ્તાહ અને વધુમાં વધુ ત્રણ માસનો સમય લાગશે. એવો અનુભવ થઈ જશે કે ભીતરમાં ચોક્કસ પરિવર્તન થઈ રહ્યું છે. તેમાં કોઈ સંદેહ નથી. એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે એક સાથે અનેક સમસ્યાઓ ન લેવી. એક સમસ્યા લો. શરીરની એક સમસ્યા, મનની એક સમસ્યા અથવા ભાવાત્મકતાની એક સમસ્યા. સમસ્યાની પસંદગી કરીને પ્રયોગ કરો, આત્મવિશ્વાસપૂર્વક પ્રયોગ કરો તો અનુભવ થશે કે તેનાથી ચઢિયાતી કોઈ દવા કે તેનાથી ચઢિયાતો કોઈ ડૉક્ટર નથી. પરિવર્તનની કલા અનુપ્રેક્ષાનો પ્રયોગ સત્યને હૃદયંગમ કરવાનો પ્રયોગ છે. સ્વાધ્યાયના પાંચ પ્રકારો પૈકીનો એક પ્રકાર અનુપ્રેક્ષા છે. એનું તાત્પર્ય એ પહેલાં શબ્દ વાંચો, પછી તેનું બરાબર ઉચ્ચારણ કરો, તેના અર્થનો બોધ કરો. જ્યારે અર્થનો બોધ થાય છે ત્યારે મસ્તિષ્ક બિલકુલ સાફ થઈ જાય છે. અર્થબોધ વગરનો માત્ર પાઠ ખાસ કામમાં આવતો નથી. જે અર્થ જામ્યો હોય તેને આત્મસાત કરવા આ માટે અનુપ્રેક્ષા કરો, અનુચિંતન કરો. ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે, એવા તે માત્ર ઉચ્ચારણથી તે હૃદયંગમ નહિ બને. તે મંગલ કેવી રીતે છે તેનું અનુચિંતન અને તેની અનુપ્રેક્ષા કરો. આ અર્થને આત્મસાત કરી લઈશું ત્યારે ધર્મ આપણા માટે મંગલ બની શકશે. જે વ્યક્તિએ નિ મહાવીટનું આરોગ્યશાસ્ત્ર + ૧૩ એક જ મહાવાનાં આયાસ શ ૧૬. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005323
Book TitleMahavirnu Aarogya Shastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1998
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy