SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ લાગતી હોય, જેનું ચિંતન સારું ન રહેતું હોય, જેની ભાવનાઓ સારી ન રહેતી હોય તે વ્યક્તિ બીમાર છે. ” નિદ્રાનો અમોઘ પ્રયોગ સારી નિદ્રા માટે સૌથી સારો ઉપાય છે - દર્શન. શરીરને જોવું. અનેક લોકોને શરીરપ્રેક્ષાનો પ્રયોગ કરાવવામાં આવ્યો. એક માણસે કાયોત્સર્ગની મુદ્રામાં સૂઈ જઈને શરીરને જોવાનું શરૂ કર્યું, અંગૂઠાથી શરૂ કરીને પ્રત્યેક અવયવ ઉપર ધ્યાન આપ્યું, તાળવાને જોયું, પંજો જોયો, એડી જોઈ આ બધા અવયવોને જોતો રહ્યો. અંગૂઠાથી માથા સુધીની પ્રેક્ષાનો આ પ્રયોગ નિદ્રાનો અમોઘ પ્રયોગ છે. બીજું કશું જ કરવાનું નથી, માત્ર અવયવને જોતા જાવ. આત્મા સુધી ક્યારે પહોંચશો, કદાચ વચ્ચે જ નિદ્રા આવી જશે ! કાયોત્સર્ગ પણ પૂરો નહિ થઈ શકે. પાચનતંત્રનું દર્શન પાચનતંત્રને જુઓ, ભૂખની સમસ્યા હળવી બની જશે. પાચનતંત્રની ગરબડ થાય છે ત્યારે લોહીનું અવસંચરણ ઘટી જાય છે અથવા પ્રાણનું અસંતુલન થાય છે. જ્યારે આપણે જોવાનું શરૂ કરીશું ત્યારે ભૂખ લાગવા માંડશે. રુધિરાભિસરણ પણ વધી જશે. રક્તનું પોષણ થશે. ૨ક્ત પોષિત હશે તો સમગ્ર તંત્ર બરાબર કામ કરવા લાગશે. આ જોવાની કલા છે. આ દર્શન-શક્તિના આધારે કાયાકલ્પનો પ્રયોગ નિશ્ચિત કરવામાં આવ્યો. તેમાં છત્રીસ ખંડોમાં, વિભાગોમાં જોવાની પ્રક્રિયા છે. છત્રીસ વખત અંગૂઠાથી શરૂ કરો અને માથા સુધી પહોંચી જાવ. એક એક અવયવ ઉપર પ્રયોગ કરો. એક વખતમાં પ્રત્યેક અવયવ ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત થાય છે. કાયાકલ્પનો આ પ્રયોગ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. ત્રિપાંખી પ્રક્રિયા આપણે માત્ર જોતા જ નથી, પરંતુ જોવાની સાથે સાથે બે ક્રિયાઓ બીજી પણ થાય છે – વિરેચન અને પોષણ. પ્રથમ ક્રિયા છે, જોવાની. અંગૂઠાને જોયો અને એમ સૂચના આપી કે અંગૂઠામાંથી વિજાતીય તત્ત્વનું વિરેચન થઈ રહ્યું છે. પછી થોડી વાર રહીને મહાવીરનું આયેયણામાં ૧ 108 ની ' આ લીક, હો શી રાજ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005323
Book TitleMahavirnu Aarogya Shastra
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1998
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy