________________
પૌષધ માને છે, શ્રી તપગચ્છમાં તે સિવાયના દિવસે પણ નિષેધ કરેલ નથી; (૫) ખરતરગચ્છીઓ ટિપણને અધિક માસ આવતાં કયાંક પ્રથમ તે કયાંક દ્વિતીય ગ્રહણ કરે છે, શ્રી તપગચ્છમાં દ્વિતીય માસ જ ગ્રહણ કરાય છે, (૬) ખરતરગચ્છીઓ તિથિક્ષયે પૂર્વતિથિ ગ્રહણ કરવા છતાં ચૌદશ ક્ષયે પૂનમ ગ્રહણ કરે છે. શ્રી તપગચ્છમાં જ્યારે કોઈ પણ તિથિને ક્ષય હોય ત્યારે તેનું કાર્ય પૂર્વતિથિના દિવસે જ કરાય છે; (૭) ખરતરગચ્છીઓ તિથિવૃદ્ધિમાં પૂર્વતિથિ ગ્રહણ કરે છે, શ્રી તપગચ્છમાં ઉત્તરદિવસે જ આરાધના કરાય છે, (૮) ખરતરગચ્છીઓ જન્મમરણના સૂતક અને લેકાચારના કારણે શ્રી જિનપૂજા તથા સામાયિક, પ્રતિક્રમણાદિ શુભ કિયાઓને નિષેધ માને છે, શ્રી તપગચ્છમાં તેને નિષેધ માનવામાં આવતું નથી; (૯) ખરતરગચ્છીએ ગૃહમંદિરમાં શ્રી મલીનાથ, નેમનાથ અને મહાવીરસ્વામિને પૂજવાને નિષેધ કરે છે, શ્રી તપગચ્છમાં તે નિષેધ માન્ય નથી, (૧૦) ખરતરગચ્છીએ તેમની “સાધ્વીઓને તુધર્મ આવતું નથી એમ કહે છે,” શ્રી તપગરછમાં તે વસ્તુ અસત્ય હોવાનું જણાવાય છે; (૧૧) ખરતરગચ્છીએ જમ્યા હેય તેને રાત્રિપૌષધ માનતા નથી, શ્રી તપગચ્છમાં તે મને છે, (૧૨) ખરતરગચ્છીએ ગૌચરીમાં વાસી રોટલી વિગેરે પણ ગ્રહણ કરે છે, શ્રી તપગચ્છમાં તેને નિષધ છે; (૧૩) ખરતરગચ્છીએ આંધળા-અપુત્રીઓ આદિને સ્તવન-સ્તુતિ આદિના આદેશ આપતા નથી, શ્રી તપગચ્છમાં આપે છે, (૧૪) ખરતરગચ્છીઓ પોતાના આચાર્યોને યુગપ્રધાનના યંત્રમાં નહિ હોવા છતાં બેસી દે છે, શ્રી તપગચ્છમાં તેને પ્રતિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org