________________
પ્રાસ્તાવિક નિવેદન
પરમ પૂજ્ય ગુરૂદેવ આચાર્ય મહારાજ શ્રી ૧૦૦૮ વિજય ખુસૂરીશ્વરજી જ્યારે સ. ૧૯૯૯ માં રાધનપુર પ્રથમ વાર પધાર્યા હતા, ત્યારે તખેલી શેરીના ઉપાશ્રયમાં કેટલાંક પાનાં ભેગી પડેલી શ્રી તપા-ખરતરભેની હસ્તપાથી તેઓશ્રીના શિષ્યરત્ન મુનિ શ્રી રૈવતવિજયજી મહારાજના હાથમાં આવી હતી. તેમણે તે પ્રતિ પૂજ્યશ્રીને બતાવી. તે જોતાં સ્વર્ગસ્થ પરમ શુદેવ, સકલાગમહસ્યવેદી, આચાર્ય ભટ્ટારક, શ્રી ૧૦૦૮ વિજયદાનસૂરીશ્વરજી મહારાજ સાહેબની સં. ૧૯૯૦ ના અનુમાને ઝીઝુવાડાના લહીયા મેઘા લાલા પાસે લખાવેલી માલુમ પડી. ( જૂએ પૃ. ૧૨૨)
વર્તમાનમાં ઘણી જૈન જનતાને તપગચ્છ અને ખતરગચ્છ વચ્ચે શું માન્યતા તથા ક્રિયાભેદ પ્રવત છે તેની સંપૂર્ણ માહિતી નહિ હાવાથી જાણવાની જિજ્ઞાસા પણ રહે છે. ખાતરગચ્છની ઘણી પ્રવૃત્તિ તપગચ્છમાં આજે જાણ્યે-અજાણ્યે પ્રવેશી ગયેલી જોવા મળે છે, તે એક શૃકા વિનાની હકીકત છે. તે સુધારવા માટે પ્રમાણભૂત સાધના તા જોઈએ જ. તે છે શ્રી “ તપા-ખરતરભેદ ' નામને આ મહામૂલા ગ્રંથ. એકી સાથે સે અને ઢસા ઉપરાંતના ભેદ્યાને કડીબદ્ધ આવરી લેતા આ ગ્રંથના સાહિત્ય જેવું બીજું સાહિત્ય શેક્યુ' જડે તેમ નથી. સત્યરૂચી જૈન જનતાના ભાવિ ઉપકારને લક્ષમાં રાખી પડિત અમૃતલાલ માહનલાલ પાટણકર પાસે તેની પ્રેસકાપી કરાવવામાં આવી.
4
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org