SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાસ્તાવિક નિવેદન પરમ પૂજ્ય ગુરૂદેવ આચાર્ય મહારાજ શ્રી ૧૦૦૮ વિજય ખુસૂરીશ્વરજી જ્યારે સ. ૧૯૯૯ માં રાધનપુર પ્રથમ વાર પધાર્યા હતા, ત્યારે તખેલી શેરીના ઉપાશ્રયમાં કેટલાંક પાનાં ભેગી પડેલી શ્રી તપા-ખરતરભેની હસ્તપાથી તેઓશ્રીના શિષ્યરત્ન મુનિ શ્રી રૈવતવિજયજી મહારાજના હાથમાં આવી હતી. તેમણે તે પ્રતિ પૂજ્યશ્રીને બતાવી. તે જોતાં સ્વર્ગસ્થ પરમ શુદેવ, સકલાગમહસ્યવેદી, આચાર્ય ભટ્ટારક, શ્રી ૧૦૦૮ વિજયદાનસૂરીશ્વરજી મહારાજ સાહેબની સં. ૧૯૯૦ ના અનુમાને ઝીઝુવાડાના લહીયા મેઘા લાલા પાસે લખાવેલી માલુમ પડી. ( જૂએ પૃ. ૧૨૨) વર્તમાનમાં ઘણી જૈન જનતાને તપગચ્છ અને ખતરગચ્છ વચ્ચે શું માન્યતા તથા ક્રિયાભેદ પ્રવત છે તેની સંપૂર્ણ માહિતી નહિ હાવાથી જાણવાની જિજ્ઞાસા પણ રહે છે. ખાતરગચ્છની ઘણી પ્રવૃત્તિ તપગચ્છમાં આજે જાણ્યે-અજાણ્યે પ્રવેશી ગયેલી જોવા મળે છે, તે એક શૃકા વિનાની હકીકત છે. તે સુધારવા માટે પ્રમાણભૂત સાધના તા જોઈએ જ. તે છે શ્રી “ તપા-ખરતરભેદ ' નામને આ મહામૂલા ગ્રંથ. એકી સાથે સે અને ઢસા ઉપરાંતના ભેદ્યાને કડીબદ્ધ આવરી લેતા આ ગ્રંથના સાહિત્ય જેવું બીજું સાહિત્ય શેક્યુ' જડે તેમ નથી. સત્યરૂચી જૈન જનતાના ભાવિ ઉપકારને લક્ષમાં રાખી પડિત અમૃતલાલ માહનલાલ પાટણકર પાસે તેની પ્રેસકાપી કરાવવામાં આવી. 4 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005322
Book TitleTapa Khartar Bhed
Original Sutra AuthorN/A
AuthorVijay Jambusuri
PublisherMuktabai Gyanmandir Baroda
Publication Year1950
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy