SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ જન્મ એમને ન્યાધિકામાં થયેલ હતો. એમની શાખા ઉચ્ચનાગર હતી. ઉનાગર શબ્દને બદલે આર્ષ પ્રાકૃતમાં “ઉગ્યાનાગર' શબ્દ મળે છે. પ્રસિદ્ધ ઐતિહાસિક છે. કનિંગહામના વિચાર પ્રમાણે ઉચ્ચનાગર” કે “ઉચ્ચાનાગર” શબ્દને મળતું આવે એ નગરવાચક શબ્દ ઉછનગર છે. વર્તમાનમાં ઉત્તર પશ્ચિમ પ્રાંતમાં આવેલ અત્યારના બુલંદ શહેરની નજીકમાં આવેલ ઉંછનગર નામના કિલ્લાને આ ઉંછનગર નામ મળતું આવે છે. આ તે માત્ર શાખા વાચક નામની ઉચ્ચનગર નામ સાથે કેવળ સરખામણી બતાવવા લખેલ છે. શ્રી ઉમાસ્વાતિ મહારાજે પોતે જ જણાવેલ છે કે, ઉમાસ્વાતિ વાચકે ગુરુપરંપરાથી પ્રાપ્ત થયેલ શ્રેષ્ઠ આહંત ઉપદેશને બરાબર ધારણ કરી તેમ જ તુચછ શાસ્ત્રો વડે હણાયેલા બુદ્ધિવાળા એવા દુઃખિત લેકેને જોઈને પ્રાણુઓની અનુકંપાથી પ્રેરાઈને આ સ્પષ્ટતાવાળું “તત્વાર્થાધિગમ” નામનું શાસ્ત્ર, વિહાર કરતાં કરતાં કુસુમપુર – પાટલીપુત્ર - નામના મહાનગરમાં રચ્યું. જે આ તત્વાર્થાધિગમ શાસ્ત્રને જાણશે અને તેમાં જે કંઈ કહેલ છે તેને આચરશે તે વીતરાગભાવની પારમાર્થિક ભૂમિકાને જલદી મેળવશે. (તત્કાથોધિગમ સૂત્રને છેડે આવેલી અને સ્વયં શ્રી ઉમાસ્વાતિ મહારાજે બનાવેલી પ્રશસ્તિ). પ્રસ્તુત ગ્રંથકારના સમય વિશે કઈ ચક્કસ નિર્ણય થઈ શક્યો નથી. પણ કલ્પસૂત્રમાં આવેલ સ્થવિરાવલિના આધારે કાંઈ જ આચાર્ય હેમચંદ્ર પિતાના અભિધાનચિંતામણિશમાં અત્યાધ શબ્દને અર્થ “વડ’ બતાવે છે. દા.ત. “વધતુબહુપાત્ સ્યાદ્ વ શ્રીવણાલય.” પ્રસ્તુતમાં તત્વાર્થસૂત્રમાં ‘ન્યધિકા” નામ જણાવેલ છે. માટે આ સૂચવેલ છે. એ જ રીતે “પાટલીપુત્ર” અને “કુસુમપુર, એ બને શબ્દ પર્યાય વાચક છે. એમ આચાર્ય હેમચંદ્રે ત્યાં જણાવેલ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005321
Book TitleTattvartha Sutra
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy