SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વે મેં જે કાંઈ સાવદ્ય કર્યું હોય તેનાથી : હે ગુરુ ભગવંત! હું પાછો ફરું છું. કરેલા તે પાપની હું મારા આત્માની સાક્ષીએ નિંદા કરું છું. - તથા ગુરુની સાક્ષીએ પણ નિંદા કરું છું. મારા એ પાપસ્વરૂપ અશુભ આત્માને હું ત્યાગ કરી - દઉં છું. [૮] વિશેષાર્થ અને ઊહાપોહ : [૧] “સામાઈએ' સામાયિક એટલે સમભાવની - શાસ્ત્રનીતિપૂર્વકની આરાધના. આત્મામાં એકબીજા સાથે સંકળાએલી ત્રણ વિષમતાઓ પડેલી છે. (૧) આત્મા રાગાદિભામાં વિષમ બની જાય છે. (૨) સુખ, દુઃખે વિષમ સ્થિતિમાં મુકાઈ જાય છે. (૩) જીવમાત્ર પ્રત્યે કડવાશને પરિણામ એ તેને વિષમભાવ છે. આ ત્રણે ય વિષમતામાંથી મુક્ત થવા માટે સમભાવની સર્વજ્ઞ– શાક્ત આરાધના કરવી જોઈએ. * ચિત્તની અંદર સમતાનું નિર્માણ થાય નહિ ત્યાં સુધી આરાધનાને પૂરેપૂરો લાભ પ્રાપ્ત થાય નહિ. સમભાવની આરાધનારૂપ સામાયિક એ શ્રી જિનશાસનને અતિ અદ્દભુત ગ છે; અતિ સુંદર અને અમેઘ પ્રયોગ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005317
Book TitlePratikraman Sutra Vivechana Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1979
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy