SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યક ટીકામાં પૂ. હરિભદ્રસૂરિજી મહારાજાએ કહ્યું સ્વસ્થાનાત્ યત્ પરસ્થાનું પ્રમાદસ્ય વશાત્ ગતઃ તન્નેવ કમણું ભૂયક, પ્રતિકમણમુચ્યતે છે આવા પ્રતિકમણના પાંચ પ્રકાર છે: રાત્રિક, દેવસિક, પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક. આ પાંચેય ક્રમશઃ સવારે, સાંજે, ૧૫ દિવસે, ૪ મહિને અને ૧૨ મહિને કરાતાં પ્રતિકમણ છે. આ બધાની અપેક્ષાએ નાનું-પ્રસ્તુત ઝુમખાનાં ચાર સૂત્રોવાળું પ્રતિક્રમણ ખૂબ નાનું છે માટે આને લઘુ-પ્રતિકમણ વિધિ કહેવાય છે. અને આ ઝુમખાનાં ચાર સૂત્રોને લઘુપ્રતિક્રમણના ચાર સૂત્રે કહેવાય છે. જીવનમાં થએલી નાની કે મેટી – કઈ પણ ભૂલનું નિવારણ કરવાને સૌથી પહેલે ઉપાય, ભૂલનું ભૂલ તરીકે ભાન થવું અને એ કર્યાને હૃદયસંતાપ થે તે છે. ભૂલની -ભૂલ તરીકે સંતાપપૂર્વક કબુલાત કરવી તેને આલેચન કહેવાય છે. જ્યારે તે પછી તેનું મિથ્યાદુષ્કૃત કર્યાને સંતાપ સાથે, તેને ગઈ માની, ત્યાજ્ય માની અવ્ય લખવું અને ફરીથી એ ન કરવાની ઈચ્છા રહેવી એ પ્રતિક્રમણ કહેવાય છે. જીવવિરાધનાદિ દોષનું આવું પ્રતિક્રમણ આત્મા જ્યાં સુધી ન કરે ત્યાં સુધી તે ચૈત્યવંદનાદિ ધર્મક્રિયાઓ કરી શકે નહિ; અને જે તે એમ જ ધર્મક્રિયા કરે તે તેને ચિત્તપ્રસન્નતાની અનુભૂતિ થાય નહિ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005316
Book TitlePratikraman Sutra Vivechana Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy