SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ નવ વાડનાં નામે ૧. સંસત વસતિત્યાગ : જયાં વિજાતીય કે નપુંસક રહેતાં હોય યા પશુ રહેતાં હોય તે સ્થાનમાં (વસતિમાં) મુનિએ ન રહેવું. એટલું જ નહિ પણ જે સ્થાનમાં તેવાં ત ન રહેતાં હોય તે પણ જે તે સ્થાનમાં રહેનારા મુનિને વિજાતિયાદિનું રૂપ દેખાતું હોય, શબ્દ સંભળાતા હોય તે તે શુદ્ધ સ્થાનમાં પણ ન રહેવું. ૨. કથાત્યાગ : સાધુએ સ્ત્રીકથા અને સાધ્વીએ પુરુષકથા સાંભળવી નહિ, ને વિજાતીય સાથે વાતચીત કરવી નહિ. ૩. નિષદ્યા-ત્યાગ : જ્યાં સ્ત્રી બેઠી હોય ત્યાં તેના ઊઠી ગયા બાદ પુરુષે ૪૮ મિનિટ સુધી ન બેસવું અને જ્યાં પુરુષ બેઠો હોય ત્યાં તેના ઊઠી ગયા બાદ ત્રણ પ્રહર સુધી સ્ત્રીએ ન બેસવું. વ્યક્તિના ઊઠી ગયા પછી પણ તેના શરીરમાંથી છૂટેલાં પુદ્ગલે ત્યાં પડેલાં હોય છે. તેને સંગ પણ વિકારની શક્યતા ઊભી કરે છે. ૪. અંગેપાંગ-દશન ત્યાગ : વિજાતીયનાં અંગપાંગ ન જેવાં. કુતૂહલથી અંગાદિને જેવાં એ જ પાપ તરફના પ્રયાણુનું પહેલું પગલું છે. આથી નીચી નજરે જ ચાલ્યા જવાની બ્રહ્મચર્યના પ્રેમીએ ટેવ પાડવી જોઈએ. તેમ જ સભામાં બેઠા વિજાતીય તરફ નજર જ ન નાખવાની ટેક રાખવી જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005316
Book TitlePratikraman Sutra Vivechana Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy