SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ અર્હિંત અને સિદ્ધ્ના ક્રમનું રહસ્ય : જ્યારે સિદ્ધ પરમાત્માએ આઠે ય કર્મીને નાશ કર્યાં છે અને અરિહંત પરમાત્માએ માત્ર ચાર ધાતી કર્મોને નાશ કર્યાં છે, ત્યારે પહેલા જ પદમાં સિદ્ધ ભગવતાને કેમ ન મૂકયા ? જવાબ : આ ક્રમ ગાઠવવાની પાછળ ઉપકાર ’ના. દૃષ્ટિકોણ છે. સિદ્ધભગવંતા કરતાં અતિ પરમાત્માના આ જગત ઉપર સીધા ઉપકાર છે. એમણે જ વિશ્વકલ્યાણકર શાસન, સંધ વગેરેની સ્થાપના કરી છે. એ કરી તે જ આત્માઓ સિદ્ધ થઈ શકયા. એટલે સિદ્ધ થનાર પર ઉપકાર અરિતના છે. આ ‘શાસન ’ દ્વારા તેએ વિશ્વમાત્રનું હિત આરાધે છે માટે તેમને જ પ્રથમ પદમાં બિરાજમાન કર્યા છે. શાસન ’થી સનું કલ્યાણ થાય છે, એથી જ જેએ. શાસનના પ્રભાવક છે, તેઓને અગ્રિમતા પ્રાપ્ત થાય છે. ( સ્ત્રી કરતાં પુરુષનું પ્રધાનપણું પુરુષની શાસન સંચાલકતાને કારણે જ જણાવવામાં આવ્યુ છે. આચાર્ય પદ ઉપર આરૂઢ થઈ ને શાસનની ધૂરા સંભાળતા શિષ્યને, પન્નુ–પ્રદાન સમયે આચાય એવા ગુરુવંદન કરે છે, તેમાં પણ આ જ કારણ છે. તીર્થંકર પરમાત્માની દેશના ખાદ્ય તેમના પાપીઠ ઉપર બેસીને દેશના કરવાના અધિકાર ગણધર ભગવતના હાય છે [ સામાન્ય કેવલીના નહિ. ] તેમાંય આ જ હેતુ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005316
Book TitlePratikraman Sutra Vivechana Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1980
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy