________________
માનસિક, શારીરિક આદિ અને દેવગતિમાં વિયોગ, હીન ભાવના આદિનાં દુઃખો ભોગવ્યાં છે.
બીજું શું કહીએ, આત્મભાવના વગર તું માના ગર્ભમાં મહા અપવિત્ર સ્થાનમાં સંકડાઈને રહ્યો. આજ સુધી તે એટલી માતાનું દૂધ પીધું છે કે જો તે એકઠું કરવામાં આવે તો સાગર ભરાઈ જાય. તારા જન્મ મરણથી દુ:ખી માતાઓનાં આંસુઓથીજ સાગર ભરાઈ જાય. આમ તે આ અનંત સંસારમાં એટલા જન્મ લીધા છે કે તેના વાળ, નખ, અને હાડકાંઓ જો એકઠાં કરે તો મેરૂ પર્વતથી પણ મોટો ટેકરો થઈ જાય.
હે આત્મન ! તે આત્મભાવ રહિત થઈ ત્રણ લોકમાં જળ, થળ, અગ્નિ, પવન, પહાડ, નદી, વૃક્ષ, વન આદિ સ્થાનોમાં સર્વત્ર સર્વ દુ:ખ સહિત નિવાસ કર્યો; સર્વ પુદગલોનું વારંવાર ભક્ષણ કર્યું તે છતાં તૃપ્તિ થઈ નહીં. આમ તૃષાથી પીડિત થઈ ત્રણ લોકનું સમસ્ત જળ પીધું છતાં પણ તૃષા શાંત ન થઈ. તેથી. હવે સમસ્ત વાતોનો વિચાર કર, ભવને સમાપ્ત કરનાર રત્નત્રયનું ચિંતન કર,
હે જીવ! તે અનંત ભવસાગરમાં અનેક વાર ઉત્પન્ન થઈ અપરિમિત શરીર ધારણ કર્યા અને છોડયાં છે, જેમાં મનુષ્યગતિમાં વિષ ભક્ષણ આદિ અને તિર્યંચગતિમાં હિમપાત આદિથી કમરણને પ્રાપ્ત થઈ મહા દુઃખ ભોગવ્યાં છે. નિગોદમાં તો એક અત્તમુહૂર્તમાં છાસઠ હજાર ત્રણસો છત્રીસ વાર જન્મ મરણ કર્યા છે.
હે જીવ! તે રત્નત્રયના અભાવમાં દુઃખમય સંસારમાં અનાદિકાળથી ભ્રમણ કર્યા છે, હવે તું આત્માના શ્રધ્ધાન, જ્ઞાન, આચરણરૂપ રત્નત્રયની પ્રાપ્તિ કર, જેથી તારૂં મરણ કુમરણ ન થાય અને સુમરણ બને અને શીધ્ર જ શાશ્વત સુખને પ્રાપ્ત કરે.
હવે આચાર્ય ભાવરહિત માત્ર દ્રવ્યલિંગ ધારણ કર્યા પછી પડેલાં દુ:ખોનું વર્ણન કરે છે.
હે મુનિવર! ત્રણ લોકમાં કોઈ એવું સ્થળ બાકી નથી કે જયાં તે દ્રવ્યલિંગ ધારણ કરીને જન્મ-મરણ ધારણ ન કર્યા હોય; તેમ જ એવું એક પુદગલ. બાકી નથી કે જેને તે ગ્રહણ કરી છોડયા ન હોય, તો પણ તારી મુક્તિ ન થઈ, અને ભાવલિંગ ન હોવાથી અનંતકાળ સુધી જન્મ-જરા આદિથી પીડિત થઈ દુઃખોને જ ભોગવ્યાં છે.
વધુ શું કહિએ, આ મનુષ્યના શરીરમાં એક-એક અંગુલ પ્રદેશમાં ૯૬-૯૬ રોગ હોય છે, તો પછી આખા શરીરમાં કેટલા રોગો હશે છે, તેનું શું કહેવું? પૂર્વભવોમાં આ સમસ્ત રોગોને તે સહન કર્યા છે અને ભવિષ્યમાં પણ સહન કરશે.
૮૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org