________________
૫૦ સમવર્તિત્વ સમવાય અપૃથભૂત અને અપૃથસિદ્ધ છે; માટે દ્રવ્ય અને ગુણનો સબંધ વીતરાગોએ અપૃથસિદ્ધ કહ્યો છે.
૫૧ વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ એ ચાર વિશેષ પરમાણુદ્રવ્યથી અનન્યપણે છે. વ્યવહારથી તે પુદ્ગલદ્રવ્યથી ભેદપણે કહેવાય છે.
પ૨ તેમ જ દર્શન અને જ્ઞાન પણ જીવથી અનન્યભૂત છે. વ્યવહારથી તેનો આત્માથી ભેદ કહેવાય છે.
૫૩ આત્મા (વસ્તુપણે) અનાદિ અનંત છે, અને સંતાનની અપેક્ષાએ સાદિસાંત પણ છે, તેમ સાદિઅનંત પણ છે. પાંચ ભાવના પ્રાધાન્યપણાથી તે તે ભંગ છે. સદૂભાવથી જીવદ્રવ્ય અનંત છે.
૫૪ એમ સત્ (જીવ પર્યાય) નો વિનાશ અને અસત જીવનો ઉત્પાદ, પરસ્પર વિરુદ્ધ છતાં જેમ અવિરોધપણે સિદ્ધ છે તેમ સર્વજ્ઞ વીતરાગદેવે કહ્યો છે.
૫૫ નારકે, તિર્યંચ, મનુષ્ય અને દેવ એ નામકર્મની પ્રકૃતિ સત્નો નાશ અને અસદ્ભાવનો ઉત્પાદ કરે છે.
૫૬ ઉદય, ઉપશમ, ક્ષાયિક, ક્ષયોશમ અને પારિણામિક ભાવથી જીવના ગુણોનું બહુ વિસ્તીર્ણપણું છે.
૫૭, ૫૮, ૫૯. (ઉદય,ઉપક્ષમ, જ્ઞાયિક, ક્ષયોપમિક ભાવોનો કર્તા જીવ છે. કે તે કર્મકૃત છે?)
૬૦ દ્રવ્યકર્મનું નિમિત્ત પામીને ઉદયાદિક ભાવે જીવ પરિણમે છે; ભાવકર્મનું નિમિત્ત પામીને દ્રવ્યકર્મ પરિણમે છે. કોઇ કોઇના ભાવના કર્તા નથી; તેમ કર્તા વિના થયાં નથી.
૬૧ સર્વ પોતપોતાનો સ્વભાવ કરે છે; તેમ આત્મા પણ પોતાના જ ભાવનો કર્તા છે; પુદ્ગલકર્મનો આત્મા કર્તા નથી; એ વીતરાગનાં વાક્ય સમજવા યોગ્ય છે.
૬૨ કર્મ પોતાના સ્વભાવાનુસાર યથાર્થ પરિણમે છે, જીવ પોતાના સ્વભાવાનુસાર તેમ ભાવકર્મને કરે છે.
૬૩ કર્મ જો કર્મ કરે, અને આત્મા આત્મત્વ જ કરે, તો પછી તેનું ફળ કોણ ભોગવે? અને તે ફળ કર્મ કોને આપે?
૬૪ સંપૂર્ણ લોક પૂર્ણઅવગાઢપણે પુદ્ગલસમૂહથી ભર્યો છે, સૂક્ષ્મ અને બાદર એવા વિવિધ પ્રકારના અનંત સ્કંધોથી.
Jain Educationa International
૫૮
For Personal and Private Use Only.
www.jainelibrary.org