SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ સમભાવમાં પરિણામ સ્થાપી દેખતો જે આત્મને, તે જીવ છે આલોચના-જિનવરવૃષભ-ઉપદેશ છે. ૧૦૯. ગાથા ૧૦૯:- જે (જીવ) પરિણામને સમભાવમાં સ્થાપીને નિજ) આત્મને દેખે છે, તે આલોચના છે એમ પરમ જિનેન્દ્રનો ઉપદેશ જાણ. ૧ ૫૧ ક્રોધાદિ નિજ ભાવો તણા ક્ષય આદિની જે ભાવના ને આત્મગુણની ચિંતના નિશ્ચયથી પ્રાયશ્ચિતમાં. ૧૧૪ ગાથા ૧૧૪ :- ક્રોધ વગેરે સ્વકીય ભાવોના (પોતાના વિભાવ ભાવોના) ક્ષયાદિકની ભાવનામાં રહેવું અને નિજ ગુણોનું ચિંતન કરવું તે નિશ્ચયથી પ્રાયશ્ચિત કહ્યું છે. ૧૫ ૨ છોડી શુભાશુભ વચનને, રાગાદિભાવ નિવારીને, જે જીવ ધ્યાવે આત્મને, તેને નિયમથી નિયમ છે. ૧૨૦. ગાથા ૧૨૦ :- શુભાશુભ વચનરચનાનું અને રાગાદિભાવોનું નિવારણ કરીને જે આત્માને ધ્યાવે છે, તેને નિયમથી (-નિશ્ચિતપણે) નિયમ છે. તાત્પર્ય એ છે કે શુભાશુભ ભાવનો અભાવ કરી પોતાના આત્માનું ધ્યાન કરવું તેજ ધર્મ છે, નિયમ છે. ૧૫૩ કાયાદિ પરદ્રવ્યો વિષે સ્થિરભાવ છોડી આત્મને ધ્યાવે વિકલ્પવિમુક્ત, કાયોત્સર્ગ છે તે જીવને. ૧ર૧. ગાથા ૧૨૧:- કાયાદિ પરદ્રવ્યમાં સ્થિરભાવ છોડીને જે નિર્વિકલ્પપણે વિષે આત્માને ધ્યાવે છે, તેને કાયોત્સર્ગ છે. ૧૫૪ વચનોચ્ચરણકિરિયા તજી, વીતરાગ નિજ પરિણામથી ધ્યાવે નિજાત્મા જેહ, પરમ સમાધિ તેને જાણવી. ૧૨ ૨. સંયમ નિયમ ને તપ થકી, વળી ધર્મ-શુકલધ્યાનથી, ધ્યાવે નિજાત્મા જેહ, પરમ સમાધિ તેને જાણવી. ૧૩૦ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005314
Book TitleParamagama Sara
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy