________________
૧૪૩ પૂર્વોક્ત પર્યાયોથી છે વ્યતિરિક્ત જીવ દ્રવ્યાર્થિકે;
ને ઉક્ત પર્યાયોથી છે સંયુક્ત પર્યાયાર્થિક. ૧૯, ગાથા ૧૯ :- દ્રવ્યાર્થિક નયે જીવો પૂર્વકથિત પર્યાયથી વ્યતિરિક્ત (ભિન) છે; પર્યાયનયે જીવો તે પર્યાયથી સંયુક્ત છે. આ રીતે જીવો બને નયોથી સંયુક્ત છે.
૧ ૪૪
નિર્દડ ને નિર્દક, નિર્મમ, નિ:શરીર, નીરાગ છે, નિદોષ, નિર્ભય, નિરવલંબન, આતમા નિર્મૂઢ છે. ૪૩. | નિગ્રંથ છે, નિષ્કામ છે, નિ:ક્રોધ, જીવ નિર્માન છે, નિઃશલ્ય તેમ નીરાગ, નિર્મદ, સર્વદોષવિમુક્ત છે. ૪૪.
જીવ ચેતનાગુણ, અરસરૂપ, અગંધશબ્દ, અવ્યક્ત છે,
વળી લિંગગ્રહણવિહીન છે, સંસ્થાન ભાડું ન દેહને. ૪૬. ગાથા ૪૩, ૪૪, ૪૬ :- આત્મા નિર્દડ, નિર્વત, નિર્મમ, નિ:શરીર, નિરાલંબ, નીરાગ, નિર્દોષ, નિર્મૂઢ અને નિર્ભય છે. અર્થાત આત્મા હિંસા આદિ પાપરૂપ દંડથી રહિત છે, માનસિક તંદ્વોથી રહિત છે, મમત્વ પરિણામથી રહિત છે, શરીરથી રહિત છે, રાગથી રહિત છે, દાષોથી રહિત છે. મૂઢતા અને ભયથી પણ રહિત છે નિંગ્રથ, નીરાગ, નિઃશલ્ય, સર્વદોષ વિમુક્ત, નિષ્કામ, નિ:ક્રોધ, નિર્માન અને નિર્મદ છે. (જુઓ સમયસાર ગાથા ૪૯, પ્રવચન સાર ગાથા ૧૭૨ અને ૧૯૨) અર્થાત પરિગ્રહથી રહિત, રાગથી રહિત, માયા, મિથ્યાત્વ અને નિદાન શલ્યોથી રહિત, સર્વદોષોથી મુક્ત, કામ ક્રોધથી રહિત અને મદ-માનથી પણ રહિત છે. જીવને અરસ, અરૂપ, અગંધ, અવ્યક્ત, ચેતનાગુણવાળો, અશબ્દ, અલિંગગ્રહણ (લિંગથી અગ્રાહ્ય) અને જેને કોઈ સંસ્થાન (શરીર) કહ્યુ નથી એવો જાણ. નિઈડ= દંડ રહિત (જે મનવચનકાયાશ્રિત પ્રવર્તનથી આત્મા દંડાય છે તે પ્રવર્તનને દંડ કહેવામાં આવે છે.)
૧ ૪૫.
આત્મા જ ઉત્તમ-અર્થ છે, તત્રસ્થ મુનિ કમ હણે; તે કારણે બસ ધ્યાન ઉત્તમ-અર્થનું પ્રતિક્રમણ છે. ૯૨.
૧ ૨૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org