SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ માનવીનું લક્ષ્ય બની ગયું છે. લક્ષ્યની પ્રાપ્તિમાં નૈતિક-અનૈતિક કે ઉચિત-અનુચિતનો કોઈ વિચાર જ રહેશે નહીં તો આર્થિક અસદાચાર કેમ નહીં વધે ? આ સંદર્ભમાં મહાવીરનું ચિંતન સર્વથા મૌલિક છે. તેમણે કહ્યું“કામા દુરતિક્રમા' - કામ દુર્લધ્ય છે. કામેચ્છાને સમાપ્ત કરી શકાતી નથી. “કામકામી ખલુ અયં પુરિસે' - આ પુરુષ કામભોગોની કામના કરનારો છે. કામ છે તો અર્થ પણ આવશ્યક છે. પરંતુ જ્યાં માનવી કામ અને અર્થની આસક્તિ ઉપર જ અટકી જાય છે ત્યાં તેને ધર્મ અને મોક્ષની ચર્ચા વ્યર્થ લાગે છે. કામાસક્ત અને અથસિક્ત માનવી સ્કૃતિ અને કલ્પનાની પળોજણમાં જ જીવે છે. તેથી તે અમર હોય તે રીતે આચરણ કરે છે. એ જ દુઃખનું મૂળ છે અને એ જ સમસ્યાઓનો ઉકેલ છે. જે વ્યક્તિમાં મુમુક્ષા હોય છે. આ સંસાર અને સંસારિક દુઃખોથી મુક્ત થવાની ઇચ્છા હોય છે તે ધર્મને ભૂલી શકતી નથી. ધર્મ વગરનું જીવન અધૂરું છે. ધર્મ વગર સુખ-શાંતિની કલ્પના પણ થઈ શકતી નથી. આ દષ્ટિએ કામ અને અર્થની સાથે મોક્ષ અને ધર્મના સિદ્ધાંતને સ્વીકારવો આવશ્યક છે. વિસંગતિનું નિરસન મહાવીરે મોક્ષનો માર્ગ લીધો. મોક્ષપ્રાપ્તિ માટે તેમણે ધર્મની આરાધના કરી. તેમની સાથે મોક્ષ અને ધર્મની ચર્ચા થઈ શકે છે, પરંતુ મહાવીર અને અર્થશાસ્ત્ર આ બે શબ્દોમાં જ કેટલો બધો વિરોધાભાસ છે ! મહાવીરને અર્થશાસ્ત્ર સાથે વળી શી લેવાદેવા ? પ્રશ્ન ઉદ્ભવી શકે છે પરંતુ તેમાં મૂંઝવણની કોઈ અપેક્ષા નથી. કારણ કે હું અત્યારે સિદ્ધ મહાવીરની નહીં, સાધક મહાવીરની વાત કરી રહ્યો છું. સાધનાકાળમાં મહાવીર મોટે ભાગે મૌન રહ્યા એ વાત પણ સાચી નથી. પરંતુ હું તીર્થંકર મહાવીરને પણ એક સાધક તરીકે જોઉં છું. મહાવીર રાજકુળમાં પેદા થયા. રાજસી વાતાવરણમાં ઉછર્યા. તેઓ બાળકમાંથી યુવાન બન્યા. તેમનો વિવાહ થયો. અર્થ અને કામ બંને સાથે તેમનો સંબંધ રહ્યો. સાધનાના માર્ગે તેઓ પછીથી ચાલ્યા. આવા સંજોગોમાં એમ કેમ માની શકાય કે અર્થશાસ્ત્ર સાથે તેમને કોઈ સંબંધ જ નહોતો ? મહાવીરની ઘટના તો ઘણી પછીની ઘટના છે. ઋષભે શું નથી wee૪૪ર૪ર૪ર૪ અર્થશાસ્ત્રની સૈકાલિક અવધારણા માટે કરી ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005312
Book TitleNavu Darshan Navo Samaj
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy