________________
((30)
પર્યાવરણ અને songg અર્થશાસ્ત્ર
આજે જગતની સામે પર્યાવ૨ણની સમસ્યા સૌથી વિકટ છે. એક સમય એવો હતો કે જ્યારે આણવિક અસ્ત્રોની સમસ્યા ભયંકર હતી. એક એકથી ચડિયાતાં શક્તિશાળી અને સંહારક અસ્ત્રોનું નિર્માણ થઈ રહ્યું હતું. વિશ્વની મહાશક્તિઓ આતંકિત હતી. પરસ્પર સંદેહનું વાતાવરણ હતું. પરમાણુઅસ્ત્ર બનાવવાની પહેલ સને ૧૯૪૫માં અમેરિકાએ કરી. તે વર્ષે ત્રણ બોંબ બનાવવાની સામગ્રી એકઠી થઈ ગઈ. એક બોંબનું પરીક્ષણ ન્યૂ મેક્સિકોમાં ક૨વામાં આવ્યું હતું. તે વિશ્વનું પ્રથમ પરમાણુ પરીક્ષણ હતું. બાકીના બે બોંબ નાગાસાકી અને હિરોશિમા ઉપર ફેંકવામાં આવ્યા. સોવિયેત સંઘે પ્રથમ પરમાણુ-પરીક્ષણ ઇ.સ. ૧૯૪૯માં કર્યું. ત્યારબાદ બ્રિટન, ફ્રાંસ અને ચીને પણ પોતાની પરમાણુ-ક્ષમતાનું પરીક્ષણ કર્યું. વિશ્વમાં સને ૧૯૪૫થી ૧૯૯૪ સુધી અઢારસોથી વધુ પરમાણુ-૫૨ીક્ષણ થઈ ચૂક્યાં છે. લગભગ પાંચસો પરીક્ષણ વાયુમંડળમાં થયાં અને બાકીનાં પરીક્ષણ ભૂમિ ઉ૫૨ થયાં. પરીક્ષણોની પ્રતિસ્પર્ધાનાં દુષ્પરિણામો જોઈને પરમાણુ અસ્ત્રોના નિર્માણ અને પરીક્ષણ ઉપર એક હદ સુધી પ્રતિબંધ આવ્યો. હવે પરમાણુ-અસ્ત્ર-સંકટની ચર્ચા ઘણી જૂની થઈ ગઈ છે. પાછા વળીને જોવાની તક
Jain Educationa International
પર્યાવરણની સમસ્યા એક સાથે સામે આવી ગઈ છે તેથી સમગ્ર વિશ્વ ચોંકી ઊઠ્યું છે. એક દૃષ્ટિએ તો આ સારું જ થયું છે. આ કારણે લોકોનું વિચારવાનું તો બદલાયું ! નહિતર આ વિષયમાં કોઈ કોઈની વાત સાંભળવા માટે તૈયાર જ નહોતું. માનવીની સામે એક જ લક્ષ્ય હતું. ગમે તેમ કરીને સમૃદ્ધિ વધારવી. સૌ સંપન્ન બને એવો નારો જેટલો લોભામણો હતો એટલો જ ઘાતક હતો. સંપન્નતાના પર્યાવરણ અને અર્થશાસ્ત્ર
For Personal and Private Use Only
www.jainelibrary.org