SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકીય [હિન્દી ] કોઈક પુસ્તકમાં મેં એક નવા સંવિધાનના નિર્માણની વાત વાંચી. તે સંવિધાનના નિર્માણમાં દેશના પ્રબુદ્ધ વર્ગનો સહયોગ આવશ્યક માનવામાં આવ્યો હતો. વિશ્વવિદ્યાલયોના ઉપકુલપતિ, અધ્યાપક, બુદ્ધિજીવી, ચિત્રકાર, કલાકાર, કવિ, સંગીતજ્ઞ વગેરે સૌ તે કાર્યમાં સહભાગી બને, જેમણે પોતપોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી છે. તેમાં નોબલ પુરસ્કાર વિજેતા વ્યક્તિઓની સાથે ઉચ્ચસ્તરના લેખકો, નવલકથાકારો વગેરેને પણ સામેલ કરવાનું લક્ષ્ય છે. તેમની સમક્ષ સૌથી મહત્ત્વપૂર્ણ પ્રશ્ન પ્રજાતંત્રની સફળતાનો હશે. આ પ્રશ્નના પરિપ્રેક્ષ્યમાં રાષ્ટ્રીય સ્તરે આયોજિત સંગોષ્ઠીઓમાં રાષ્ટ્રીય પ્રતિનિધિઓને સંમિલિત કરવામાં આવશે. વૈશ્વિક સ્તરે ઉક્ત મુદ્દાઓની સમીક્ષા કરવા માટે આંતરરાષ્ટ્રીય સંમેલનના આયોજનની યોજના છે. આ યોજના અંતર્ગત વિશ્વનો બુદ્ધિજીવી વર્ગ મનુષ્યતાનું ભાગ્ય નક્કી ક૨શે. આ વાત બીજા શબ્દોમાં એ રીતે પણ કહી શકાય કે જે નવું સંવિધાન બનશે તે મનુષ્યતાનું સંવિધાન બનશે. વિશ્વમાનવને નજર સામે રાખીને મનુષ્યતાનું સંવિધાન બનાવવાની વાત સાંભળવા અને વાંચવામાં જેટલી આકર્ષક લાગે છે એટલું જ તેને વ્યાવહારિક રૂપ આપવાનું જટિલ પણ છે. જટિલતાનું કારણ માનવીની સુવિધાવાદી, ઉપભોક્તાવાદી અને સ્વાર્થવાદી મનોવૃત્તિ છે. આ મનોવૃત્તિ હોય ત્યાં સુધી મનુષ્યતાને કેન્દ્રમાં રાખીને વિચારવાનું અથવા તો કંઈક કરવાના સંકલ્પનું સફળ થવું સંભવિત નથી. આ સંદર્ભમાં એક વાત ઉપર ગંભીરતાપૂર્વક ચિંતન કરવું પડશે. પ્રજાતંત્રની સફળતા માટે સંવિધાન બન્યું છે, નવું Jain Educationa International .IX For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005312
Book TitleNavu Darshan Navo Samaj
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1996
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy