SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ સમકિત સભ્યોહાર. સંથારો કયાનો અધિકારછે અને ઉદ્દાર કર્યાનો નથી તેથી ક્ષેત્ર સમજવું કે તેટલી વાત સૂત્રકારે ઓછી વર્ણવેલછે. પરંતુ તેણે ઉદ્ધાર કયા નથી એવું સૂત્રકારે કહેલું નથી માટે તેમણે ઉદ્ધાર કર્યાનું શ્રી શત્રુંજય મહાત્મ્યાદિ ગ્રંથોમાં કહેલુંછે તે સત્યજછે. ૫૪ પાંચમ મૂકીને ચોથની સંવત્સરી કરોછો એમ જાએ લખ્યુંછે તેના ઉત્તર—અમે ચોથની સંવત્સરી કરીએ છીએ તે પૂ વાચાયાની તેમજ યુગ પ્રધાનની પરંપરાએ કરીએ છીએ, નિશિથ ચૂણીમાં ચોથની સંવત્સરી કરવી કહીછે. વળી પાંચમની મંવત્સરી કરવી એવું સૂત્રમાં કોઇ પણ સ્થાનકે કહેલું નથી; સુત્રમાં તો અ શાડ ચોમાસાના પ્રારંભથી એક મહીનો ને વિા દિવસે સંવત્સરી કરવી અને એક મહીનોને વિશ દિવસની અંદર સંવત્સરી પડિકમવી કલ્પેછે, પણ ઉપરાંત કલ્પતી નથી, અંદર પડિકમનાર આરાધક છે, ઉપરાંત પડિકમનાર વિરાધકછે. એમ કહ્યુંછે તો વિચારો કે જેની ટીપણાં વિચ્છેદ ગયેલાંછે જેથી પાંચમની સાંજે સંત્સરી પ્રતિક્રમણ કરતી વખતે પાંચમછે કે છ થઇ ગયેલીછે તેની યથાસ્થિત ખબર પડતી નથી; અને જો છઠમાં પ્રતિક્રમણ કરીએ તો પૂર્વઅંત નાણાનો લોપ થાયછે, માટે તે કાર્યમાં બાધકનો સંભછે. પરંતુ ચોથની સાંજે પ્રતિક્રમણ કરતાં પાંચમ થઈ જાય તો કોઈ પણ પ્રકારનો ખાધક નથી તેથી પૂર્વાચાર્યાએ વૃક્ત ચોથની સં વત્સરી કરવાની શુદ્ધ રિતીનું પ્રવર્તન કરેલુંછે તે સત્યજછે. પરંતુ કુંઢકો ચોથની સાંજે પાંચમ થતી હોય તો તે દીવો એટલે ચોથે સંધુરી કરેછે તે નથી તો કોઇ સૂત્રપાઠથી કરતા અને નથી યુગ પ્રધાનની આજ્ઞાથી કરતા પણ ફક્ત સ્વતિ કલ્પનાથી કરેછે. ૫૫ સત્રમાં ચોવીશે તિર્થંકર વંનીક કહ્યાછે અને વિવેક વિલાસમાં કહ્યુંછે કે ઘર દેરાસરમાં એકવીશ તિર્થંકરની પ્રતિમા સ્થાપવી તેનો ઉત્તર – જૈનધમીઓને તો ચોવીશે તિર્થંકર એક સરખાછે. તેમજ ચોવીશ તિર્થંકરને વંદન પૂજન કરવાથી યાવત્ મોક્ષફળની પ્રાપ્તિછે. પરંતુ ધર દેરાસરમાં એકવીશ તિર્થંકરની પ્રતિમા સ્થાપવી એમ વિવેકવિલાસ ગ્રંથમાં કહ્યુંછે તે અપેક્ષા વચન Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005311
Book TitleSamkit Shallyodhar
Original Sutra AuthorN/A
AuthorDhundhakmati Jethmalji
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1885
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy