SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૫૪૯ તામ્રપાત્ર સમાન છે. માનવધર્મમાં જેમને આપવાનું છે તે માટીના પાત્ર સમાન છે. અરિહંત પરમાત્મા સર્વથી અધિક ઉપકારી છે. કારણ કે સર્વપ્રથમ ધર્મ અરિહંત જ બતાવે છે. તેમનાં દર્શન-પૂજનથી કૃતજ્ઞતાધર્મ વ્યક્ત થાય છે તથા તેમનાં દર્શન-પૂજનથી વિશિષ્ટ કર્મનો ક્ષય થતાં જીવ સંયમ પામીને મોક્ષમાં જાય છે. મોક્ષમાં જનાર જીવ કોઈને ય દુઃખ આપતો નથી. માનવધર્મથી થોડાક જીવોને થોડુંક સુખ આપી શકાય, પણ માનવધર્મ અનુસાર સુખ આપનાર જીવ બીજા ઘણાને દુઃખ આપતો રહે છે. જયારે મોક્ષપ્રાપ્તિથી કોઇને ય દુઃખ આપવાનું ન રહે. આથી માનવધર્મ કરવાની સાથે સાથે અરિહંતપૂજા, સાધુસેવા, સાધર્મિક ભક્તિ વગેરે પણ કરવું અત્યંત જરૂરી ગણાય. સંક્ષેપથી આટલું લખ્યું છે. બાકી વિસ્તારથી તો આનાથી પણ ઘણું વધુ સમજવા જેવું છે. શંકા- ૧૧૭૩. કામરાગ-સ્નેહરાગ-દૃષ્ટિરાગનો અર્થ સમજાવવા વિનંતી છે. સમાધાન– ઈન્દ્રિયોના શબ્દ વગેરે વિષયો ઉપર અને વિષયોનાં સાધનો વાજિંત્રો-સ્ત્રી-મિષ્ટાન્ન વગેરે ઉપરના રાગને કામરાગ, પિતા તથા પુત્ર વગેરે ઉપરના પ્રેમને સ્નેહરાગ, રાગાદિ દોષોથી યુક્ત દેવો-ગુરુઓ વગેરે ઉપરના રાગને દૃષ્ટિરાગ કહેવાય. દષ્ટિરાગ શબ્દમાં દષ્ટિ એટલે દર્શન. દર્શન એટલે ધર્મ. મિથ્યાધર્મ ઉપર, મિથ્યાધર્મ બતાવનારા દેવો ઉપર અને મિથ્યાધર્મનો ઉપદેશ આપનારા ગુરુઓ ઉપર રાગ તે દૃષ્ટિરાગ છે. આ ત્રણ રાગમાં કામરાગ અને સ્નેહરાગ સહેલાઇથી દૂર કરી શકાય છે પણ દષ્ટિ તો બહુ કષ્ટથી દૂર કરી શકાય છે, આથી જ જગતમાં જૈનધર્મ પ્રત્યે રાગવાળા થોડા હોય છે અને મિથ્યાધર્મ ઉપર રાગવાળા ઘણા હોય છે. શંકા- ૧૧૭૪. પૂર્વે જૈનોની વસતિ ઘણી હતી પણ હમણાં બહુ ઘટી ગઈ છે. તેથી જૈનોની વસતિ વધે તે માટે ઉપાયો કરવા જોઇએ. જે નવાં નવાં ધર્મતીર્થો હાઇવે વગેરે પર બનાવવામાં જે પુષ્કળ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005310
Book TitleShanka Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy