________________
શંકા-સમાધાન
૫૧૩
દવા આપવાની પ્રવૃત્તિ સારી નથી. આમ છતાં તેનો અનુબંધ શુભ હોવાથી આ પ્રવૃત્તિ સંસારમાં ઉપાદેય-કરવા યોગ્ય મનાય છે.
હવે આ વિષયને આધ્યાત્મિક દષ્ટાંતોથી વિચારીએ. એક મનુષ્ય અસાધ્ય કેન્સરના રોગથી પીડાઈ રહ્યો છે. હવે જો તેને ઝેર આપવું વગેરે ઉપાયથી ખતમ કરી નાખવામાં આવે તો તે પીડાથી મુક્ત થઈ જાય. આમ દેખીતી રીતે આ પ્રવૃત્તિ સારી જણાય છે, પણ અધ્યાત્મશાસ્ત્ર આ રીતે તેને મારી નાંખવાની ના કહે છે. કારણ કે તે જીવ મરી જાય એટલે એનું દુઃખ સમાપ્ત થઈ જતું નથી. બાકી રહેલાં અશાતાવેદનીય કમને એ જીવ જ્યાં જશે ત્યાં એક યા બીજી રીતે દુઃખ ભોગવીને એણે પૂરા કરવા જ પડશે. સાચો માર્ગ એ છે કે તે જીવને ઉપદેશ આપીને અશાતાને સમભાવે સહન કરવા માટે સમજાવવો. આમ પીડાતી વ્યક્તિને પીડાથી મુક્ત કરવા મારી નાખવાની પ્રવૃત્તિ બહારથી સારી દેખાતી હોવા છતાં હેય છે-કરવા યોગ્ય નથી. શ્રાવક માટે જિનપૂજા સાવદ્ય હોવાથી દેખીતી રીતે સારી નથી, પણ તેનો અનુબંધ અહિંસા હોવાથી ઉપાદેય છે.
હવે પ્રસ્તુત વિષયને વિચારીએ, દેહદાન અને ચક્ષુદાન વગેરે પ્રકારનું દાન દેખીતી રીતે સારું દેખાતું હોવા છતાં તેનો અનુબંધ અશુભ છે. કેમ કે તેનાથી ભ્રષ્ટાચાર વગેરે અનેક અનથો થાય છે. તે આ પ્રમાણે (૧) સર્વોચ્ચ અદાલતના આદેશના પગલે રચવામાં આવેલી એક
સમિતિ તેના અહેવાલમાં જણાવે છે કે આ દેશમાંની કુલ ૧૧૦૦ જેટલી બ્લડ બેન્કોમાંથી ૫૦૦ જેટલી ગેરકાનૂની છે. મીડ-ડે ગુજરાતીમાં આવેલ એક રિપોર્ટ મુજબ મુંબઈમાં જેટલી લોહીની બોટલો વપરાય છે તેમાંથી ૬૫ ટકા લોહી ધંધાદારી લોકોએ પોતાની ભૂખ ભાંગવા માટે ૨૦૦ થી ૩૦૦ રૂ. માં ૧-૧ બોટલ લોહી વેચવા લાઈન લગાડીને આપેલ લોહી હોય છે. આવા દાતાઓ, સમાજવિરોધી તત્ત્વો, ડ્રગ-એડીક્ટો, અનેક પ્રકારના વ્યસનીઓ, એઈસથી માંડીને અનેક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org