SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૯ गणिपिडगं अणागर काले अणंता जीवा आणाए विरहित्ता चाउरंत-संसारकंतारं अणुपरियाट्टिस्सति । इच्चेइयं । दुवालसंगं गणिपिडगं अतीतकाले अणंता-जीवा आणाए आराहित्ता चाउरंतसंसार-कंतारं वीईवइंसु । एवं पडुप्पण्णेऽबि, एवं अणागएऽवि । दुवालसंगे णं गणिपिडगे ण कयावि णत्थि, ण कयाइ णासी, ण कयाइ ण भविस्सइ । भुवि च भवति य भविस्सति य, अयले धुवे णितिए सासए अक्खए अव्वए अवट्टिए गिच्चे। से जहा णामए पंच अस्थिकाया ण कयाइ णासी, ण कयाइ णत्थि ण कयाइ ण भविस्सति । भुपिं च भवति य भविस्सति य, अयला धुवा णितिया सासया अक्खया अव्वया अवट्टिया णिच्चा। एवामेव दुवालसंगे गणिपिडगे ण कयाइ ण असि, ण कयाइ णत्थि, ण कयाइ ण भविस्सइ । भुवि च भवति य भविस्सइ य, अयले धुवे-जाव-अवट्ठिए णिच्चे । एत्थ णं दुवालसंगे गणिपिडगे अणंता भाबा, अनंता अभावा, अणता हेऊ अणंता अहेऊ, अणंता कारणा, अणंता अकारणा, अणंता जीवा, अणंता अजीवा, अणंता भवसिद्धिया, अणंता अभवसिद्धिया, અનંત જીવો ચાર ગતિરૂપ સંસાર-કાનનમાં પરિભ્રમણ કરશે. આ દ્વાદશાંગરૂપ ગણિપિટકની આજ્ઞાની આરાધના કરીને ભૂતકાળમાં અનંત જી. ચારગતિરૂપ સંસાર અટવીને પારકરી ગયા છે. અને જે મનુષ્ય વર્તમાન કાળમાં આ દ્વાદશાંગરૂપ ગણિપિટકની આરાધના કરે છે અને ભવિષ્યમાં આરાધના કરશે તેઓ ચાર ગતિરૂપ આ સંસાર અટવીને પાર કરી રહ્યા છે અને પાર કરશે. આ દ્વાદશાંગ ગણિપિટક કોઈ કાળે નથી એમ નથી, સદા વિદ્યમાન છે. દ્વાદશાંગરૂપ ગણિપિટક પહેલાં કદી પણ ન હતું, એવી વાત નથી એટલે કે તે પહેલા પણ હતું. ભવિષ્ય કાળમાં તેનું અસ્તિત્વ નહીં હોય, એમ પણ નથી એટલે કે ભવિષ્યમાં પણ અવશ્ય રહેશે જ. આ ગણિપિટક પહેલા પણ હતું વર્તમાનકાળમાં પણ છે, ભવિષ્ય કાળમાં પણ રહેશે. તેથી આ ગણિપિટક અચલ છે, ધ્રુવ છે, નિશ્ચિત છે, શાશ્વત છે, અક્ષય છે, અવ્યય છે, અવસ્થિત છે, નિત્ય છે. જેમ ધર્માસ્તિકાય આદિ પાંચ અતિકાયે કદી ન હતા એવી વાત નથી પણ હમેશા હતા જ. તેમનું અસ્તિત્વ નથી એવી વાત પણ નથી એટલે કે તે નિત્ય છે, અને ભવિષ્યકાળમાં નહીં હોય એ વાત માની શકાય તેમ નથી એટલે ભવિષ્યકાળમાં પણ હશે જ. પાંચે અસ્તિકાય ભૂતકાળમાં હતા. વર્તમાનમાં છે. અને ભવિષ્યમાં હશે જ, તેઓ અચલ છે. ધ્રુવ છે, નિયત છે, શાશ્વત છે, અક્ષય નાશરહિત અવસ્થિત અને નિત્ય છે. એ જ પ્રમાણે દ્વાદશાંગરૂપ ગણિપિટક કદી ન હતું એમ માની શકાય તેમ નથી, કયારેય તેનું અસ્તિત્વ નથી એવી વાત પણ માન્ય નથી, કદી રહેશે નહીં, એ વાત પણ માન્ય નથી એટલે કે ત્રણે કાળમાં તેનું અસ્તિત્વ રહેશે Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005308
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Shobhachad Bharilla
PublisherJinagam Prakashan Samiti
Publication Year1980
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy