________________
[૮૪]
શ્રી વિજયપધસૂરિજી કૃત પદ પદ્મ પૂજે પ્રભુ તણા તે સાત્વિક પૂજા મુણે, અમૃતક્રિયા ઉપયોગ સંગે પાર છે સંસારને, સુલભ નહિ આ સર્વને જે સર્વ મંગલકારિણું; આ ભવે પણ સુખ કરી તિમ સત ભય સંહારિણી. ૭૦
અર્થ –આગલી ગાથામાં કહેલા ગુણવાળા જે ભવ્ય જ પ્રભના પદપદ્ય-ચરણ કમલની વિધિ પૂર્વક પૂજા કરે તે સાત્વિક પૂજા જાણવી. આ ઉપગ પૂર્વકની અમૃત કિયા રૂપ સાત્વિક પૂજા સંસારને પાર આપે છે–સંસારમાંથી તારે છે. આવી સાત્વિકી પૂજા જે સર્વ મંગલને કરનારી છે તે સર્વ જીવો માટે સુલભ-સહેલી નથી. તેમજ આ ભક્તિ આ ભવમાં પણ સુખ કરનારી તેમજ સાત ભયને નાશ કરનારી છે. ૭૦.
રાજસી ભક્તિનું સ્વરૂપ આ ગાથામાં બતાવે છે – પ્રભુદેવને પૂજીશ તે હું પુત્ર સંપત્તિ અહીં, પામીશ દર્શક લેક પણ ખુશી થશે એવું ચહી;
૧. સાત ભયો આ પ્રમાણે–૧. ઈહલેક ભય-મનુષ્યને મનુષ્યથી ભય. ૨. પરલેક ભય-મનુષ્યને દેવાદિકથી ભય. ૩. આદાન ભય-ચોર વગેરેને ભય. ૪. અકસ્માત ભય–ઘરમાં રાત્રિએ કે દિવસે એકદમ ભય લાગે તે. ૫. આજીવિકા ભય–આજીવિકા કેમ ચાલશે તેની ચિંતા થયા કરે છે. ૬. મરણ ભય-કુટુંબ, પરિવાર, ધનાદિક મૂકીને મરી જવું પડશે એવા ભયવાળો વિચાર. ૭. અપકીતિ ભય-લોકને વિષે અપકીર્તિ થશે એ ભય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org