SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગદર્શન ૩૫૯ શાસ્ત્રાભ્યાસ કરી પિતાના જ્ઞાનમાં વૃદ્ધિ કરતે હેય છે. એમ શ્રતધર્મની આરાધના કરે છે. અને દયામય અહિંસા ધર્મનું ભાવપૂર્વક પાલન કરી પિતાના આત્માને મંદ કષાયી અને નિર્મળ બનાવતે રહે છે. પાંચે ઈદ્રિયજન્ય વિષયોના રસને મંદ કરતે થકે જિતેન્દ્રિય બને છે, અને ધર્મકિયામાં સદા ખંતીલે રહે છે. - એમ કરતાં કરતાં એ ભવ્ય જીવ દેવ-ગુરૂ-ધર્મ અને સાધમિક બંધુઓની રૂડી રીતે ઉપાસના અને સેવાભક્તિ કરતાં કરતાં ચારિત્રમેહનીયકર્મના ક્ષયોપશમને સાધે છે. અને આત્મકલ્યાણકારી એવી ભાગવતી દીક્ષા અંગીકાર કરી ચારિત્રધર્મને પણ પ્રાપ્ત કરે છે, અને જીવનભર ઉત્કૃષ્ટભાવે સંયમધર્મનું પાલન કરી તદ્દભવે કે હજી ચરમ શરિરી ન હોય તે પણ અપ કાળમાં પિતાના સર્વ કર્મોનો ક્ષય કરી પરમપદને પામે છે, સિદધ, બુધ અને મુક્ત બને છે. એવું પરમ ફળ સમક્તિનું છે. વાંચક ગણ! આપ સહુ પણ એ રીતે સમ્યગદર્શનને પ્રાપ્ત કરી, દેશવિરતિ – શ્રાવકધર્મ કે સર્વવિરતિ, અણગાર ધર્મ અર્થાત્ રૂડી ભાગવતી દીક્ષા અંગીકાર કરી. ઉત્કૃષ્ટભાવે તેનું પાલન કરી આપના માનવભવને સાર્થક બનાવી, આજ ભવમાં એકાવતારી પદના કે ભવાંતરમાં સર્વ કર્મ મુક્ત બની અલ્પ સમયમાં પરમપદના-સિદધ પદના ભક્તા બને એજ અરિહંત - સિધ્ધ પરમાત્મા પ્રત્યે અભ્યર્થના. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy