SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ સમ્યગ્દર્શન ' 6 પ્રલાભનાથી વ્યામે!હ પામી તે મત અંગીકાર કરવાની ચ્છિા તે ‘કાંક્ષા' – કંબા ' દોષ છે. તેનાથી સમક્તિ નાશ પામે છે અને સંસાર પરિભ્રમણ વધે છે. માટે કાંક્ષા દોષ ન સેવવા એવી હિતશીક્ષા શ્રી સિદ્ધષિ ગણીએ પેાતાના સ્વાનુભવે પોતે રચેલી ઉપમિતિ ભવ પ્રપ ચા ' ની પ્રસ્તાવનામાં ભાવિ મુમુક્ષુઓ માટે આપી છે. તેમનું આત્મવૃતાંત આ પ્રમાણે છે ઃ : , માળવાના શ્રીમાળ નગરના રાજાના શુભંકર નામે મંત્રીને સિઘ્ધ નામે એકના પુત્ર હતા. યૌવનવય પ્રાપ્ત થતાં મંત્રીએ તેને ધામધુમથી પરણાગ્યે. એકવાર સાસુવહું કંઇ કામ કરતાં સાથે બેઠા હતા. તેમાં વહુને ઝોલ આવી ગયું. આંખામાં રતાશ અને ફીકકુ માં જોઈ ચકાર સાસુ સમજી ગયા કે વહુને કંઈક ન કહેવાય ન સહેવાય તેવી મુંઝવણ છે. મંત્રીના ઘરમાં ભેગેપભોગના સાધનાની કંઈ કમીના ન હતી. અને એકના એક અતિ લાડમાં ઉછેરેલા દીકરા તેના ભાગમાં શી ઓછપ હોય? છતાં નવાઢા મહિના દિવસમાં તે કરમાવા લાગી તે સાસુની ચકાર ષ્ટિએ પારખી લીધું. વહુને વિશ્વાસમાં લઈ અસ્વસ્થતાનું કારણ પૂછ્યું, વહુ પહેલા તા મૌન રહી.. પણ ઉતરી ગયેલા માઢાએ દુઃખની ચાડી ખાધી. સાસુએ હેતભર્યા આગ્રહથી કહ્યું:- વહુ બેટા ! અત્યારે તે તારે માણવાના દિવસે છે. તેને બદલે મહિનામાં જ આ ગમગીની જ કેમ ? તું મારી દીકરી જ છે. મા સમજીને મને વાત કર. જેથી તારી મુંઝવણના ઉપાય થાય.’ 6 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy