SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ - મૌલિકસ્વરૂપને તો બહારના ખુલ્લા વાતાવરણમાં ફેલાવતા હોવા છતાં પણ ગુમાવતા નથી. અગ્નિકાય સ્વરૂપના અસ્તિત્વ ગુમાવ્યા વગર જ તે વરસાદમાં બહાર ફેલાઈ જાય છે તથા ખુલ્લા વરસાદમાં ફેલાય તે વખતે વિશિષ્ટ ચમક, ઉગ્રતા ઇત્યાદિ પોતાના ગુણધર્મોને જ્યારે તે ગુમાવી દે છે ત્યારે એ દીવાની જ્યોતમાંથી બીજા અગ્નિકાયના પુદ્ગલ ખુલ્લા આકાશમાં ફેલાઈ જાય છે. અતિસૂક્ષ્મ એવો અગ્નિ તો પૂલ પાણીની ધારમાંથી તેજીથી નીકળી જાય છે. તે તેજોદ્રવ્ય (Photon) ફક્ત જળવૃષ્ટિથી સમાપ્ત નથી થતા. કારણકે એના પરિણામ વિશિષ્ટ પ્રકારના હોય છે. એટલે પાણીથી સમાપ્ત હોવાનું પરિણામ એ અગ્નિમાં નથી. પ્રત્યેક પ્રકારના પાણી બધા પ્રકારના અગ્નિકાયને જરૂર બુઝાવી દે એવો કોઈ નિયમ નથી. ઉદાહરણ તરીકે સમુદ્રમાં જ્યારે આગ લાગે છે ત્યારે એ વડવાનળને દરિયાનું પાણી બુઝાવી શકતું નથી. એનાથી વિપરીત સમુદ્રનું પાણી જ આગને વિકરાળ સ્વરૂપ ધારણ કરવામાં સહાયતા કરે છે. એટલે અગ્નિકાય માટે જળકાય પરકાયશસ્ત્ર હોવા છતાં પણ વડવાનળનો નાશ સમુદ્રના પાણીથી થતો નથી. એ જ પ્રમાણે મુશળધાર વરસાદમાં રાત્રે દીવાનો જે પ્રકાશ બહાર ફેલાય છે એનો નાશ કરવામાં સામર્થ્ય વરસાદના પાણીમાં નથી. અગ્નિકાય માટે જળકાય પરકાયશસ્ત્ર બને છે – એવો કોઈ એકાંત નિયમની પ્રરૂપણા વીતરાગ સર્વજ્ઞ ભગવંતોએ કરી નથી. કેટલો અદ્ભુત-સચોટ-અકાટ્ય હોવા ઉપરાંત શાસ્ત્રાનુસારી અને દષ્ટાંતસંગત જવાબ શ્રી સિદ્ધસેનગણીવરજી એ આપ્યો છે. આ રહ્યા તત્ત્વાર્થવૃત્તિમાં શ્રી સિદ્ધસેન ગણીવરજીના શબ્દ – “રચાર-નિરન્તરથા વર્તુતિ बलाहके प्रदीपः अलिन्दकादिव्यवस्थापितः प्रद्योतेत एव बहिः। यदि च विरोधः स्यात्, न बहिः प्रकाशो विभाव्येत, जलपातेन अपनीत्वादिति । अत्रोच्यते-प्रादीपा: पुद्गलाः ताथात्म्यपरित्यजन्तो निःसृताः तथाविदधतामुदबिन्दुसम्पर्काद् विजहति तत्समकालं चापरे प्रदीपशिखाया विकीर्णाः कृशानुपुद्गला: तमाकाशमश्नुवते। न च ते जलपातेन विध्यापयितुं शक्यां परिणामवैचित्र्याद्, वडवानलावयवा इव' (तत्त्वार्थ ૧/ર૪) વાસ્તવમાં શ્રી સિદ્ધસેનગણીવરનો જવાબ બહુ જ સચોટ છે. અવકાશીય સજીવ વીજળીનો નાશ પણ અનરાધાર વરસાદથી થતો નથી. ઇંધણ વગર અગ્નિનો નાશ પાણી દ્વારા થવો સંભવ નથી. દીવામાં રહેલા અગ્નિની જ્યોત 287 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy