SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ગતિથી ઑક્સિકૃત થયા કરે છે, જેને આપણે “કાટ લાગ્યો” એમ કહીએ છીએ. પણ એ બધી ક્રિયા ‘બળવાની ક્રિયા નથી. સાધારણ ઑક્સિડેશન અને દહનક્રિયા રૂપ કંબશ્ચનમાં અંતર છે. કંબશ્ચન “એક્સોથર્મિક ક્રિયા છે એટલે કે ઉષ્માનું ઉત્પાદન થાય છે. ૯. ડૉ. જે. જૈન અનુસાર, “આગમમાં સચિત્ત તેઉકાયનું એવું કોઈ ઉદાહરણ નથી મળતું કે જેમાં પ્રાણવાયુનો ઉપયોગ ન હોય. જેટલાં ઉદાહરણ આપવામાં આવ્યાં છે એમાં બળવાની ક્રિયા પ્રમાણે પ્રાણ-વાયુનો સીધો ઉપયોગ હોય છે જેમ કે અગ્નિ, અંગારા, જ્વાળા, મુર્મુર અર્ચિ, અલાત, શુદ્ધાગ્નિ, સંઘર્ષ-સમુસ્થિત અગ્નિ) અથવા આકાશીય વિદ્યુત, અશનિ, ઉલ્કા જેમાં પ્રાણવાયુ સહચારીના રૂપમાં ઉપસ્થિત હોય. પ્લાઝમાં અથવા આયનીકરણની પ્રક્રિયામાં ડીસ્ચાર્જ થઈને પણ “પ્રાણવાયુની ઉપસ્થિતિને કારણે જ તથા અત્યંત તીવ્ર તાપમાન પર જ્વલનશીલ પદાર્થોનો યોગ મળવાથી સચિત્ત તેઉકાયની ઉત્પત્તિની સ્થિતિ બને છે. “એ ધ્યાન આપવા યોગ્ય છે કે ભઠ્ઠીમાં લોહ-અયસ્કથી લોખંડ એ સમયે પણ બનતું હતું, પણ એનું નામ સચિત્ત તેઉકાયના ઉદાહરણમાં નથી મળતું. કુંભાર અને ઇંટની ભઠ્ઠીનું ઉદાહરણ મળે છે, એમાં પણ ત્યાં બનતા પદાર્થ એટલે ઇંટ, વાસણોને સચિત્ત તેઉકાય નથી બતાવ્યા, - ફક્ત એની મધ્યમાં બળતી અગ્નિને જ સચિત્ત તેઉકાય બતાવી છે. ગરમ થયેલી સોયને પણ અચિત્ત તેઉકાય બતાવી છે.” એટલે એનાથી એ નિષ્કર્ષ નીકળે છે કે તેઉકાય અથવા અગ્નિકાયમાં ફક્ત પ્રકાશનું ઉદ્ગમ સ્થાન હોવાથી એને સચિત્ત તેઉકાય નથી બનાવી દેતા. પ્રાણવાયુનું પ્રયુક્ત હોવું એક આવશ્યક શર્ત છે. એ પણ બળવાની માફક રાસાયણિક ક્રિયાના રૂપમાં.”૬૩ ૧૦. ડૉ. જે. જૈન અધિક સ્પષ્ટ કરીને લખે છે – “જો પ્રાણવાયુ-શૂન્ય વાતાવરણમાં ગરમ પીગળેલા લોખંડને જે લાલ તો થાય છે), બીજી અગ્નિથી અથવા બીજી તાપ-શક્તિથી ગરમ કરીએ તો એ પહેલા તાપને પછી એ તાપ અને પ્રકાશ આપશે, પણ એ તાપ અને પ્રકાશ પોતે પેદા નથી કરતો. આ એનું પોતાનું Self sustaining (સ્વપોષી) તાપ-પ્રકાશ આ તો એનું બીજા અગ્નિ સાથે મળે તો એને એ ગ્રહણ કરીને છોડતો રહે છે. આ તાપનું મળવું/પ્રાપ્ત કરવું જેમ અન્ય અગ્નિથી થાય છે, એમ સૂર્યની ગરમીથી પણ થઈ શકે છે. એટલે '208 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy