SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ છે અને પછી બલ્બના ફિલામેન્ટમાં પ્રકાશસ્વરૂપે જણાય છે. આમ ટરબાઈન વગેરેના માધ્યમથી ઉત્પન્ન થતી કૃત્રિમ વીજળી - ઇલેક્ટ્રિસિટી અને આકાશીય વીજળી બંને એક સ્વરૂપ જ છે - એમ સિદ્ધ થાય છે. આકાશીય વીજળી તો સજીવ જ છે. તેથી તેના સમાન કૃત્રિમ વીજળી - ઇલેક્ટ્રિસિટી પણ તેઉકાય જીવસ્વરૂપે જ સિદ્ધ થાય છે. આકાશીય વીજળીના નુકસાનથી બચવા માટે જે રીતે (electricity) કરવામાં આવે છે તે જ પ્રકારનું અર્થિંગ કૃત્રિમ વીજળી દ્વારા બહુમાળી મકાન ફેક્ટરી વગેરેને નુકસાન ન થાય તે માટે ક૨વામાં આવે છે. આકાશની વીજળી અર્નિંગ વાયરમાંથી પસાર થતી હોય ત્યારે જો તે તારની જોડે બલ્બનું યોગ્ય જોડાણ કરેલ હોય તો તે બલ્બ પણ પ્રકાશે છે જ. આ વાત વિજ્ઞાને પ્રયોગ દ્વારા સિદ્ધ કરેલ છે. આમ આકાશીય વીજળી અને કૃત્રિમ વીજળી (electricity) વચ્ચે અનેક પ્રકારે સમાનતા જ જોવા મળે છે. તેથી આકાશીય વીજળીની જેમ વાયરની વીજળી ઇલેક્ટ્રિસિટી પણ સજીવ જ છે. ઉત્તર ૧૧: આકાશીય વીજળી એટલે આકાશમાં ચમકનારી વિદ્યુત એટલે ‘વિજ્જૂ’ ઝબકીને પડનારી વિદ્યુત એટલે અશશિન અથવા વજ્રપાત તથા ઉલ્કાપાત (જેવા ઘર્ષણથી ચમકતા પિંડ પૃથ્વી પર પડતા દેખાય છે. Meteor જેને કહેવાય છે) એ બધાં ફક્ત બળવાની સ્થિતિમાં જ સચિત્ત તેઉકાય છે. નહિ એનાથી પહેલા કે ન પછી. વીજળીનું પૃથ્વીમાં સમાઈ જવું એટલે વિદ્યુત-આવેશનું મુક્ત રૂપ જે ઑક્સિજનની સહાયતાથી બળવાની ક્રિયા કરતા હતા તે સમાપ્ત થઈને ફરી વિદ્યુત ઊર્જાના રૂપમાં આવી જાય છે. ‘બળવા’ની ક્રિયા ન કરે તે સમય વિદ્યુત-ઊર્જાને તેઉકાય માની શકાય નહિ. જો એને તેઉકાય માની લઈએ, તો પછી બધા ઇલેક્ટ્રિક ચાર્જને તેઉકાય માનવો પડશે. પણ એવું નથી, ઇલેક્ટ્રિસિટી પોતે પોતાનામાં ફક્ત પૌદ્ગલિક ઊર્જા છે. જ્યારે તે તારમાંથી પસાર થાય છે, ત્યારે પણ એ ફક્ત પૌદ્ગલિક ઊર્જા છે, ભલે તે પાવર-હાઉસથી ઉત્પન્ન હોય અથવા આકાશીય વિદ્યુતથી ‘ડિસ્ચાર્જ’થી ઉત્પન્ન ઇલેક્ટ્રિક ચાર્જ હોય. આકાશીય વીજળી (વિજ્જુને સચિત્ત તેઉકાય તો ફક્ત આકાશમાં વિદ્યમાન ઑક્સિજનના સહયોગથી જ્વલનશીલ પદાર્થોને બાળતી વખતે જ માની શકાય. જ્યારે એ ચાર્જ ગગનચુંબી ઇમારતની ઉપર લાગેલા તારથી earthing થઈ જાય છે, ત્યારે તેને સચિત્ત તેઉકાય માની શકાય નહિ, કારણ કે તારની અંદરથી પસાર થતી વખતે એનું તેઉકાયિક પરિણમન થતું નથી. નથી ત્યાં બળવાની અથવા દહન Jain Educationa International 170 For Personal and Private Use Only. www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy