________________
[૩]
પ્રશસ્તિ
વસંતતિલકા સિદ્ધાંતજ્ઞાન અતિ તીવ્ર વિષે નિમગ્ન, શ્રી કુંદકુંદ ભગવંત સ્વરૂપલગ; વાણી ઉદાર અતિ ગંભીર ભાવદર્શી મોક્ષાર્થીને પ્રગટ એ શિવમાર્ગદર્શી. તે વાણીનો ગહન મર્મ પ્રકાશ કીધો, વિસ્તૃત સંસ્કૃત ટીકા રચી સાર દીધો; અમૃતચંદ્ર સૂરિવર્ય સમર્થ જ્ઞાની, હો વંદના ! સહજ-આત્મસ્વરૂપ-ધ્યાની ! શુદ્ધાત્મમાં રમણતા કરતા કૃપાળુ, શ્રી રાજચન્દ્ર ગુરુવર્ય ઉરે હું ધારું; જેના પ્રતાપ થકી શુદ્ધ સ્વરૂપ પ્રત્યે, વૃત્તિ વહે સતત મોક્ષરુચિ પ્રવર્તે.
હરિગીત નિષ્કામ કરુણાસિંધુ હે લઘુરાજ ! આપ સમીપમાં, સ્વાધ્યાય થાતો સમયસારાદિ તણો ઉલ્લાસમાં; શુદ્ધાત્મનું વર્ણન સુણી, શુદ્ધાત્મભાવ પ્રકાશતો, અદ્ભુત શાંત દશા પ્રભુની, નીરખી આત્મ ઠરી જતો.
માલિની ગહન સમયસારે લીનતા જે લગાડી, સહજ નિજ સ્વરૂપે ભક્તિવૃતિ જગાડી; સકલ તવ કૃપા તે હે લઘુરાજ સ્વામી ! સ્મરી વળી વળી અર્પ, અંજલિ શીર્ષ નામી.
-શ્રી રાવજીભાઈ દેસાઈ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org