________________
પરિશિષ્ટ
भुंजाना च यतोऽनुभूतिरखिलं खिन्ना क्रियायाः फलं किंचिन्न િિત્તષ્ઠિત
तद्विज्ञानघनौघमग्नमधुना
૭૮ ॥
પૂર્વે પર એવા કર્મના ઉદય સાથે વ્યાપીને આત્માની પરિણતિ થવાથી દ્વૈત હતું તેથી આ મારી શુદ્ધ પરિણતિથી અંતર પડ્યું હતું, તે વખતે રાગદ્વેષ સહિત થતી ક્રિયા અને કારકોવડે જે પરિણમન થયું તેને ભોગવનારી મારી અનુભૂતિ હતી. તે સર્વ ખેદયુક્ત ક્રિયાનું ફલ જે કિંચિત્ રહ્યું છે, તે વિજ્ઞાનધનના સમૂહ એવા આત્મામાં મગ્ન થયેલું હવે ખરેખર કંઈ અસર કરતું નથી. (કલશ ૨૭૮)
આ કલશનો સંબંધ આરંભના કલશ ત્રીજા સાથે છે ત્યાં જે પોતાની પરિણતિની ૫૨મ વિશુદ્ધિ થવાની ભાવના કરી હતી તેની સિદ્ધિ થઈ છે, એમ સૂચવ્યું છે.
૩૪૩
છેવટે શ્રી અમૃતચંદ્રાચાર્ય પોતાની આત્મખ્યાતિ નામની ટીકાની સમાપ્તિ કરતાં સર્વકર્તૃત્વપણાના અહંકારને ત્યાગે છે
ઉપજાતિ स्वशक्तिसंसूचितवस्तुतत्त्व - र्व्याख्या कृतेयं समयस्य शब्दैः । स्वरूपगुप्तस्य न किंचिदस्ति कर्तव्यमेवामृतचंद्रसूरेः ॥ २७९ ॥
પોતાની શક્તિથી વસ્તુતત્ત્વને સૂચવનારા એવા શબ્દોવડે સમયસાર ગ્રંથની આ ‘‘આત્મખ્યાતિ” નામની વ્યાખ્યા (વિસ્તૃત ટીકા) કરાઈ છે, પોતાના સ્વરૂપમાં ગુપ્ત એવા અમૃતચંદ્રસૂરિનું તે કંઈ કર્તવ્ય જ નથી. (કલશ ૨૭૯)
શ્રી જયસેનાચાર્ય પોતાની ‘તાત્પર્યવૃત્તિ” નામની ટીકા સમાપ્ત
કરતાં લખે છેઃ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org