SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તક્લતીર્થમાં બે ચોમાસાં તીર્થ– યાત્રાના ફળ ભારે મીઠાં ! તીર્થની યાત્રા સર્વ આરંભથી નિવૃત્તિ અપાવે ! તીર્થ-યાત્રા કરવાથી મળેલા ધનની સફળતા થાય! તીર્થયાત્રાના પ્રભાવે શ્રીસંઘના વાત્સલ્યનો લાભ મળે ! તીર્થની યાત્રા સમ્યગ્દર્શનને નિર્મળ બનાવે ! જિનચૈત્યોને જીર્ણોદ્ધાર, અને એવાં પુણ્ય-કાર્યો કરવાની તક તીર્થયાત્રામાં સાંપડે ! જિનશાસનની ઉન્નતિ, અને જિનાજ્ઞાપાલનને અણમોલ અવસર તીર્થયાત્રામાં મળે ! તીર્થયાત્રાના પ્રતાપે તીર્થંકર નામકર્મ બંધાય, અને જલદી એક્ષ-નગર જવાને પરવાને પણ મળે ! તીર્થની યાત્રા દેવ-માનવના ઉચતમ સુખની પ્રાપ્તિ કરાવે ! આવી મહાન ફલદાયક આ તીર્થયાત્રાના આઠ-આઠ સંઘ તેઓએ સ્વ-ખર્ચ કાઢેલા.શ્રી સિદ્ધાચલજીના પાંચ સંઘ, આબુજીની પંચતીથીને સંઘ, કેસરીયાજી તીર્થને સંઘ, અજમેરથી શ્રી સમેતશિખરજીને સંઘ. તેય પાછાં છ “રી” પાળતાં. એટલે એનાં ફળ તે અનેરાં અને ઝાઝેરાં. - આ ઉપરાંત પાંચ ઉજમણું અને બીજા સંખ્યાબંધ અડ્રાઈમહત્સવ વિ. અનેક અનુકરણય-અનુમોદનીય ધર્મકાર્યો તેમણે પોતાના જીવન દરમ્યાન અનુપમ ઉદારતાપૂર્વક કર્યા હતા. એમના ઘરમાં દરેકને માટે કેટલાક આદર્શ નિયમ હતા. રાત્રે ચઉવિહાર, અને સવારે નવકારશીનું પચ્ચકખાણ અવશ્ય કરવું જ જોઈએ. કંદમૂળ કે અભક્ષ્ય તે ખવાય જ નહિ. પૂજા-સેવા, તેમજ સવારમાં પાંચ-સાત જિન મંદિરના દર્શન કર્યા વિના બીજું કાર્ય ન કરાય. અને ઉંમરલાયક થયાથી દરેક છોકરાએ ઉપધાન તપની આરાધના કરવી જ જોઈએ. - પિતે સંઘમાં આગેવાન રહ્યા. પિતાના ઘરમાંથી કેઈ ઉપધાન કરનાર હેય, એટલે ઉપધાન તપ પિતે કરાવે એ જ ઉચિત ગણાય. ઘરના દરેકની ઈચ્છા પણ એવી જ હોય. આથી સાતેક વખત તે તેમણે પિતે ઉપધાનતપ કરાવ્યા હતા. અને-અમરચંદભાઈને એક ઉત્તમ નિયમ એ પણ હતું કે-તેમને ત્યાં પુત્ર કે પુત્રીના લગ્ન હોય, ત્યારે તે લગ્નકાર્ય મુખ્ય ન રાખતાં, તે પ્રસંગે ઉજમણું કે મહોત્સવ કરે, ને લગ્નનું કાર્ય ગૌણપણે કરવું. કેવા આદર્શ નિયમ ! અનુકરણ નહિ તે અનુમોદન કરવાનું તો મને જરૂર થાય જ - શ્રી અમરચંદભાઈ “૧૨ વ્રતધારી શ્રાવક હતા. તેમણે પરિગ્રહ-પરિમાણને અભિગ્રહ એ લીધેલ કે-“૯ હજાર રૂપિયા રાખવા, એથી આગળ વધવા ન દેવા, વધે તે ધર્મકાર્યમાં એને ઉપગ કરે.” તેમને પાંચ પુત્ર-ર હતા. ૧-પપટભાઈ, ૨-કસ્તૂરભાઈ ૩-પીતાંબરભાઈ ૪-ઠાકરશીભાઈ પ-છગલશીભાઈ જ્યારે એમણે પરિગ્રહ પરિમાણવ્રત લીધું ત્યારે ખંભાતી નાણાનું ચલણ હતું. એટલે ખંભાતના ચલણી ૯૯ હજાર રૂા. ને તેમને અભિગ્રહ હતા. ત્યારપછી કલદાર નાણાનું ચલણ કાવ્યશીભાઈ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy