________________
પ્રકાશકીય નિવેદન
પરમપૂજ્ય પરમેાપકારી પરમદયાલુ શાસનસમ્રાટ્ બાલબ્રહ્મચારી સૂરિચક્રચક્રવર્તી સત સ્વતંત્ર પ્રૌઢ પ્રતાપી તપાગચ્છાધિપતિ જગદ્ગુરુ સ્વ. આચાર્ય મહારાજાધિરાજ શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજના સમગ્ર જીવનની એક યાદી પ. પૂ. ગુરૂદેવ આચાય શ્રીવિજયાદયસૂરીશ્વરજી મહારાજે તથા પ. પૂ. ગુરૂદેવ આચાર્ય શ્રીવિજયનંદનસૂરીશ્વરજી મહારાજે સંયુક્ત રીતે કરાવી હતી. બન્ને પૂજ્ય ગુરૂદેવાની ભાવના ઘણાં સમયથી હતી કે “ કાઈ લેખક પાસે સુરિસમ્રાટ્ પૂજય ગુરૂદેવનું જીવનચરિત્ર વ્યવસ્થિત લખાવીને પ્રકાશિત કરાવવું.”
આ ભાવનાનુસાર તેઓશ્રીએ ગુજરાતના ત્રણ-ચાર સારા લેખકેાને બેલાવીને તે કામ સોંપવા માંડયું. પણ તે લેખકોએ પાતાનાં અનિવાર્ય કારણા દર્શાવીને આ કામ માથે લેવાની અશક્તિ જણાવી.
આમ થવાથી આ કાર્ય સૂરિસમ્રાટ પૂજ્ય ગુરૂદેવના સ્વર્ગારહણ પછી ૨૨ વર્ષ પર્યંત અપૂર્ણ જ રહ્યું.
સ. ૨૦૨૯ નું વર્ષ પૂ. ગુરૂદેવની જન્મશતાબ્દીનું મંગલ વર્ષ હતું. આ વાતના ખ્યાલ આવતાં જ પૂ. ગુરૂદેવ શ્રીવિજયનન્દનસૂરિજી મહારાજે સ. ૨૦૨૭માં મક્કમ નિર્ણય લીધા કે–‘શતાબ્દીના વર્ષ સુધીમાં કાઈ પણ ઉપાયે ગુરૂ ભગવંતનું જીવનચરિત્ર લખાવીને છપાવવું જ.
આ મક્કમ નિર્ણય લઇને તેઓશ્રીએ જીવનચરિત્ર લખવાનું મહાકાય પાતાની નિશ્રામાં રહેલા પૂજ્ય પંન્યાસપ્રવર શ્રીસૂર્યાદવિજયજી ગણિવરના શિષ્ય મુનિરાજ શ્રીશીલચંદ્રવિજયજી મહારાજને સોંપ્યું, એ મુનિરાજે પણ પરમગુરૂદેવની તેમજ સમુદાયની સેવાનું આ કાર્ય પૂજ્ય ગુરૂદેવના શુભાશીર્વાદ સાથે અપૂર્વ ઉલ્લાસથી આદર્યું. એનું પરિણામ-આ ‘જીવનચરિત્ર-ગ્રંથ’ છે.
આ જીવનચરિત્રનું પ્રકાશન કરતાં અમારૂં અંતર અપાર આનંદ અનુભવી રહ્યું છે. અમારી પેઢીના સ્થાપક, પ્રેરક, ઉપદેશક અને એથીયે વધુ–પ્રાણ-પૂજય સૃરિસમ્રાટ્ ગુરૂદેવ હતાં. તેઓશ્રીની તીર્થાષ્કાર અને તીર્થં ભક્તિની પવિત્ર ભાવનાના કારણે સ’. ૧૯૮૯ ની પાષ વિદે સાતમે અમારી પેઢીની સ્થાપના તેઓશ્રીના ઉપદેશથી થઈ હતી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org