SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ અમદાવાદને આંગણે શ્રીપાનાચંદભાઈની શ્રવણ-રૂચિ અપૂર્વ હતી. એક સાચા બહુશ્રુત શ્રાવકને છાજે તેવી હતી. તેઓ આપણું પૂજ્યશ્રીને કહેતા કેઃ “સાહેબ ! જિનેશ્વર દેવની પવિત્ર વાણીનું શ્રવણુ મહાન ભાગ્યોદય હોય તે જ મળે. શહેરમાં કેઈક વખત પૂ. મુનિમહારાજને ચેન ન હોય તે હું તે શ્રીપૂજ્યજીની પાસે પણ જિનવાણું સાંભળવા જઉં છું. કેટલાક મને એમ પણ કહે છે કે તમે શ્રીપૂજય પાસે કેમ જાવ છે? ત્યારે હું તેમને જવાબ આપું છું કે ભાઈ! ભલે તેઓ પંચમહાવ્રતધારી સાધુ ન હોય, પણ જિનેશ્વરદેવના અનુયાયી-સમ્યક્ત્વધર તો છે ને? હું તે એમના સમ્યક્ત્વની સહણ કરું છું, અને વ્યાખ્યાન સાંભળવા જઉં છું. અને કેઈકવાર વ્યાખ્યાન શ્રવણ ન થઈ શકે તે હું કેઈક હોંશિયાર છોકરા પાસે ધાર્મિક પુસ્તકે વંચાવીને સાંભળું છું. આનું નામ સાચા શમણે પાસક. કેવી એમની જિનવાણ શ્રવણની રૂચિ ? કેટલી શુદ્ધ સહણ અને ગુણાનુરાગિતા ? તત્વાર્થ સૂત્રના આ ચાલુ વ્યાખ્યાનમાં તેઓ હંમેશાં નિયમિત હાજરી આપતા. અને એક ચિત્ત વ્યાખ્યાનને શબ્દ શબ્દ સાંભળતા. એકવાર વ્યાખ્યાનમાં “અવધિ-દર્શનને અધિકાર આવે. પૂજ્યશ્રીએ અવધિ-દર્શનના સ્વરૂપનું નિરૂપણ કરતાં કહ્યું: “અવધિ-દર્શનાવરણીય કર્મના ક્ષપશમના બળે પદાર્થનું સામાન્ય સ્વરૂપ ગ્રહણ કરનાર અવધિ ઉપયોગ, તે અવધિદર્શન કહેવાય. અને તે નિયમો સમ્યગદર્શનધારીને જ હેય, મિથ્યાત્વીને નહીં.” અવધિને તુ સદtવ = શિડ્યાસુરે છે. આ સાંભળીને શ્રી પાનાચંદભાઈ એ પ્રશ્ન કર્યો. “સાહેબ! જે અવધિદર્શન નિયમ સભ્ય કુત્વને જ હોય, તે આગમમાં અવધિદર્શનને ઉત્કૃષ્ટ સ્થિતિકાળ બે ૬૬ સાગરેપમ પ્રમાણે કો છે, તે કઈ રીતે ઘટે ? કારણ કે-સમ્યક્ત્વને ઉત્કૃષ્ટકાળ તે ફક્ત એક “દદ સાગરેપમ જ છે.” જવાબમાં પૂજ્યશ્રીએ ફરમાવ્યું: “ભાઈ! શ્રી ભગવતીજી, શ્રી પન્નવણાજી, વગેરે આગમમાં વિર્ભાગજ્ઞાનીને પણ અવધિદર્શન હેય, એમ કહ્યું છે. એટલે એ અપેક્ષાએ-વિર્ભાગજ્ઞાનના ૬૬ અને અવધિજ્ઞાનના “દ એમ બે “૬૬' સાગરેપમ સુધી અવધિદર્શન હેાય, એ યુક્ત છે. પણ તવાર્થ–વૃત્તિકારને મત એવો છે કે- સમ્યગ્દષ્ટિને જ અવધિદર્શન હોય. ભિન્ન ભિન્ન વાચનની અપેક્ષાએ આ બન્ને મત આપણે માટે તે પ્રમાણ અને યથાર્થ જ છે.” આવું શાસ્ત્ર-સિદ્ધ સમાધાન સાંભળીને શ્રીપાનાચંદભાઈ અપૂર્વ સંતેષ પામ્યા. ધન્ય જ્ઞાની ગુરુ! ધન્ય વિદ્વાન તા! (૨) શેઠ શ્રી ળશાજી. ગુજરાતના લોકપ્રિય જેન નાટકકાર શ્રી. ડાહ્યાભાઈને તેઓ પિતાજી હતા. તેઓ ચુસ્ત ધાર્મિક વૃત્તિના હતા. પિતાને પુત્ર આવે મેહનીય કર્મની વૃતિ 1. તત્ત્વાર્થ-સિદ્ધસેનજીત ટીવ, (ક. ૨- સત્ર-૧) શા. ૭ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy