SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ શાસ્ત્રાભ્યાસ એટલે “જોઈતું'તું ને વૈદ્યે કહ્યું” જેવું થયું. તેઓએ પૂ. ગુરુમ. ને વાત કરી કે-સાહેબ ! આપની ભાવના પ્રમાણે હું ‘સિદ્ધાન્ત કૌમુદી' ભણવા તૈયાર છું. મને વ્યવસ્થા કરાવી આપે. ૩૧ પેાતાના પ્રિય શિષ્યની આવી ઉત્તમ અભિલાષા જાણીને ગુરુમ. ના આનન્દના અવધિન રહ્યો. તેઓએ કહ્યું; ભાઈ! તારી વાત ઉત્તમ છે. તુ કૌમુઠ્ઠી ભણીશ તા મારી ભાવના પૂરી થશે. એને માટે આપણે રાજયના શાસ્ત્રીજીના દાખસ્ત કરીએ. તેએ વ્યાકરણ સરસ ભણાવે છે. ત્યારપછી પૂ. ગુરુદેવે રાજ્યના શાસ્ત્રીજી માટે તજવીજ કરાવી. ભાવનગર રાજ્ય તરફથી એક સસ્કૃત પાઠશાળા ચાલતી. તેમાં મુખ્ય શાસ્રી તરીકે શ્રી ભાનુશંકરભાઈ નામના વિદ્વાન પંડિત હતા. તેઓ મહારાજાશ્રીતખ્તસિહજીને હ ંમેશાં ગીતાજી સંભળાવતા હતા. સિદ્ધાંત કૌમુદી વિગેરે તેઓ ખુબ સરસ ભણાવતા. આમ તે તેઓ બીજે કયાંય ભણાવવા ન જતા. પણ પૂ. ગુરુદેવના ભક્ત શ્રીપાનાચંદ ભાવસાર નામના એક સગૃહસ્થની લાગવગથી મહારાજા સાહેબના હુકમ થવાથી તેઓ આપણા પૂ. મુનિશ્રીને ભણાવવા માટે આવ્યા. “ભાગ્યશાળીને ભૂત રળે” તે એનુ' નામ. આ ચામાસામાં જ એક મ'ગળ દિવસે શ્રી ગુરૂદેવના આશીર્વાદ લઇને તેઓએ શાસ્ત્રીજી પાસે ‘સિદ્ધાન્તૌમુદ્દી વ્યાકરણના પ્રારંભ કર્યાં. આની સાથે-સાથે વડીલેાના વિનયભકિત-ક્રિયારૂચિ, સંયમપાલનમાં જાગરૂકતા ઈત્યાદિ ગુણાની ઉત્તરાત્તર પ્રગતિ પણ ચાલુ જ હતી. તેઓશ્રીની બુદ્ધિ તેજસ્વી-તીક્ષ્ણ હતી. એટલે જેટલેા પાઠ લીધા હોય તે ખંતપૂર્વક નિયમિત તૈયાર કરતા. ધારણાશિત પણ જખરી હતી, એટલે દિવસના લગભગ સે શ્લોક કંઠસ્થ કરતાં. ઊ’ડી સમજણુશિતને લીધે ગમે તેવા કઠિન પદાર્થો-પરિષ્કારને પણ તેઓ સુગમતાથી હૃદયંગમ કરી લેતા. વિદ્વાનોની પરિભાષામાં “ગૌમુખ” ગણાતા વ્યાકરણને પણ તેઓએ પેાતાની મેધાના બળે સરલતમ બનાવી દીધું હતું. અને આ બધું જોઈ ને શાસ્ત્રીજીને પણ સમજાવવાના-ભણાવવાના ખૂબ ઉમ’ગ-ઉલ્લાસ થતા. તે પ્રસન્ન~મને વિસ્તારપૂર્ણાંક પૂર્વ પક્ષ-ઉત્તરપક્ષ સહિતના શાસ્ત્રાર્થી સરસ રીતે સમજાવતા, અને પરિષ્કારો લખાવતા હતા. આ બધું પૂજ્યશ્રી એકચિત્તે સમજી લઈ, ખીજે દિવસે કડકડાટ સંભાળાવી દેતા, ત્યારે તે ભાનુભાઈ પણ મુગ્ધ થઈ જતા. આ બધાં કઠસ્થ કરેલાં શાસ્ત્રાર્થી–પરિષ્કાર પૂજ્યશ્રી પેાતાના જીવનની ઉત્તરાવસ્થામાં પણ જાણે હમણાં જ ગેાખ્યા હોય, તેમ કડકડાટ ખાલી જતા હતા. ભાનુભાઈ પ્રખ્યાત-બુદ્ધિમાન શાસ્ત્રીજી હાવાથી તેમની પાસે કાઈ-વાર અન્યદેશીય પંડિતા આવતા. ત્યારે તેઓ એ બધાંની પાસે પૂજયશ્રીની ખૂબ તારીફ કરતા. અને પૂજ્યશ્રીને એ આગન્તુક વિદ્વાન્ સાથે શાસ્ત્રા પણ કરાવતા. તેઓશ્રીની વ્યાકરણ વિષયક ઉપસ્થિતિ તથા ખેલવાની છટા જોઇને જ પેલા અજાઈ જતા. એક વાર એવું બન્યું કે–ભાવનગરના જ નાથાલાલ નામે એક વિદ્યાથી અભ્યાસ માટે કાશી ગયેલા. ત્યાં ભણી, પંડિત થઈને પાછા દેશમાં આવ્યા. એક તા કાઠિયાવાડી દેશી માણસ, એમાં પાછા ભણીને પંડિત થયા. તેય કાશી જઈને, એટલે જાણે સરસ્વતીની Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy