________________
આશીવચન (અતાર)
જગદ્વંદનીય, જગત્ ગુરુ, જૈન ધર્મના શાસનસમ્રાટ્, વર્તમાનકાળમાં યુગપ્રધાન સમાન, માલ્યપણાથી અખંડબ્રહ્મચર્યના મહાન્ જવલંત સિતારા, સુગૃહીતનામધેય, સૂરિચક્રચક્રવર્તી પ. પૂ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબ,–
જેએ મારાં મહાન્ ઉપકારી છે,
મારાં અનાથના નાથ છે,
મારાં અશરણના શરણ છે, મારાં પરમ ઉદ્ધારક છે.
મારાં તારણહાર છે,
મને અમેાધને મેધ આપનાર છે,
.
મને સમ્યગ્ દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ રત્નત્રયી પમાડનાર, તેમાં સ્થિર કરનાર અને ઉત્તરાત્તર તેમાં વૃદ્ધિ પમાડનાર છે.
મને શ્રીવીતરાગશાસનમાં આટલી ઉચકેાટિએ લાવનાર છે.
મને-પામર કીડીને કુંજર સ્વરૂપ બનાવનાર તે મારાં પરમ ગુરુભગવંતના ઉપકારને બદલા ભવકાડાકાડીએ પણ વાળી શકાય તેમ નથી. તેઓશ્રીના મુખમાં છેલ્લા શ્વાસેાશ્વાસ સુધી પણ ‘ઉદય−નંદન' હતાં.
તેઆશ્રીના ગુણાનુવાદ રૂપે તેઓશ્રીનું જીવનચરિત્ર કઈક આલેખાય તા તેઓશ્રીની સેવાના ત્કિંચિત્ લાભ મને મળી શકે, તેમજ તેઓશ્રીજી પ્રત્યેના યત્કિંચિત્ અનૃણીભાવ પણ મને પ્રાપ્ત થાય, આ વિચાર અને આ ભાવના થયાને ઘણા સમય ગયા.
આ જીવનચરિત્રનું કામ મે' ઘણાં ઘણાંને સોંપ્યું હતું, પણ ભવિતવ્યતાના બળે તે કામ એમ ને એમ અધૂરૂ જ રહ્યુ. અને આજે ૨૨-વર્ષના વ્હાણા વહી ગયા.
પન્યાસજી શ્રી સૂર્યદયવિજયજી ગણિવય, જ આ આશરે ૫-૬ વર્ષોથી અમારી સાથે અમારી સેવામાં છે. તેમના વિદ્વાન્ અને વિનીત ખાલશિષ્ય મુનિશ્રી શીલચન્દ્રવિજયજી ઉપર અમારૂ હૃદય ઠર્યું. અને પ. પૂ. શાસનસમ્રાટના જીવનચરિત્રનું–અથથી ઇતિ સુધી
Jain Educationa International
૩
For Personal and Private Use Only
www.jainelibrary.org