SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનસમ્રાટ્ આ નગરીનું કુદરતી સૌન્દર્યાં તે વળી અતિ અદ્ભુત છે. અનિમેષ આંખાથી એ સૌન્દર્યને જોયા કરા, ખસ ! જોયા જ કરે. નેત્રા થાકશે જ નહિ. * એક તરફ્ શ્રીફળના ભારથી લચી રહેલા નાળિયેરી-વૃક્ષાની ઘટાથી ભરપૂર વાડીએ જુઓ, તેા મીજી ખાજુ વળી બગીચાઓમાં સેાપારી–જામફળ-રામફળ ને આમ્રફળ જેવાં વિધવિધ ફળ ભરપૂર વૃક્ષેા નીરખેા. તમે થાકશેા, પણ તમારી આંખેા નહિ થાકે જોતાં નહિ ધરાય, એવી એની નિસગ સુન્દરતા છે. મહુવાની આબેહવા પણ સમશીતા-માણવા જેવી છે. ભર ઉનાળા હાય, પણ મહુવા ગયા એટલે જાણે શિયાળાના પ્રારંભકાળના અનુભવ થાય. ન મળે પ્રસ્વેદ કે ન થાય અફારો. એ તે જે માણે એ જ જાણે. નગરીની પૂર્વ ને ઉત્તર દિશામાં છે માલણ-માલિની નદી. પ્રશાંત-ગંભીર એ નદીનુ નિર્મળ જળ ખળખળ કરતું વધુ' જાય છે, ને એના વહેણના ક`પ્રિય નિનાદ કોઈ મધુરા સંગીતની બ્રાન્તિ કરાવે છે, આ શુભ્ર સલિલા નદીના જળકણના સપથી શીતલ અનૅલે પવન સંતપ્ત હૈયાંને સંતૃપ્ત અનાવીને વાતાવરણમાં અનુપમ રમણીયતા ફેલાવે છે. અને આ બધી નિસ સુન્દરતાને કારણે જ આ મહુવા નગરી “સૌરાષ્ટ્રના કાશ્મીર”નું ગૌરવવંતુ ઉપનામ-ખિદ પામી છે. સૌરાષ્ટ્ર એ વીર-ભૂમિ છે, એણે સારાંચે આર્યાવને દાખલા પૂરા પાડે એવા ધર્માંશૂરા, રણશૂરા, ને દાનશૂરા નર–રત્ના આપ્યા છે. એ વીરાની મંગલ-નામાવલિમાં મહુવા નગરીને ફાળા નાનાસન નથી. એણે પણ એમાં મહત્ત્વના હિસ્સા આપ્યા છે. શ્રી શત્રુંજય મહાતીર્થે દ્ધારક જાવડશાહ, આ મહુવાના જ નર–રત્ન હતા. સંવત્ પ્રવંક સમ્રાટ વિક્રમે એમને મધુમતીનું આધિપત્ય સાંપેલુ પરમાત્ મહારાજ કુમારપાલના સંઘમાં શ્રીસિદ્ધગિરિજી, શ્રીગિરનારજી અને શ્રી પ્રભાસપાટણ, એ ત્રણેય જૈનતીર્થાંમાં સવાર્કોડ-સવાક્રોડ સેનૈયાની કિ ંમતના ત્રણ રત્ના ઉછામણીમાં ખેલીને તા—માળ પહેરવાના અણુમાલ લ્હાવા લેનાર શ્રેષ્ઠિ-રત્ન જગતૂં પણ આ મધુમતીના જ પત્નાતા પુત્ર હતા. આ તેા જુગજુની વાત થઈ. નજીકની—ગઈકાલની જ વાત કરોને! ૮૭ વર્ષ પહેલાં તે મહુવામાં નર-રત્નાના અદ્ભુત દાયકો પાકયા હતો. તે વખતે ત્યાં દેદીપ્યમાન સૂર્ય મંડળ સોળે કળાએ પ્રકાશી રહેવુ. એ સૂર્યમંડળના એક એક તારલા નીરખા, એનાં વન સાંભળે, ને આફરીનના પાકાર કરતા જાવ. ગુજરાતના વિશાળ સાહિત્ય-વિપિનમાં “કેસરી”નું ગૌરવપમેલા 'મસ્ત-કવિ' શ્રી ત્રિભુવન પ્રેમશ’કર, પ. પૂ. શ્રી આત્મારામજી મહારાજની સત્પ્રેરણાથી ચીકાગા (અમેરિકા)માં ભરાયેલ વિશ્વધર્મ પરિષમાં અને યુરોપના અન્ય દેશામાં જૈનધર્માંની મહત્તા સ્થાપનાર, ને સ્વામી વિવેકાનન્દની સમકક્ષ ગણાતા માહોશ બેરિસ્ટર શ્રી વીરચંદ રાઘવજી ગાંધી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy