SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૧ હજારોની સંખ્યામાં હતી. તેમની પાલખીને આખા શહેરમાં ફેરવવામાં આવી હતી. અને મહા જૈન બાળાશ્રમની બાજુની એક સુંદર શાંત જગ્યાએ અગ્નિસંસ્કાર આપે હતે. તેમના માનમાં કામકાજ બંધ બેસતા વર્ષના શુભ તહેવાર હોવા છતાં આ મહાન આત્માના માનમાં બધા કામકાજે અધ રાખવામાં આવ્યા હતા. મહારાજશ્રીને જન્મદિવસ કારતક શાં ૧ નો હતો. તેઓ કાળધર્મ પામ્યા તે દિવસે તેઓશ્રીને ૭૭ વર્ષ પુરા થતા હતા. તેમને જે શહેરમાં જન્મ થયે, તે જ શહેરમાં તેઓ નિર્વાણ પામ્યા. તેમની પવિત્ર ભસ્મને દરિયામાં પધરાવવામાં આવી છે. શોકસભા સાંજના ચાર વાગે તેમના માનમાં શેકસભા રાખવામાં આવી હતી. તેમના જીવન વિષેના મહાન પ્રસંગે યાદ કરી તેમના મહાન આત્માને અંજલિ અર્પવામાં આવી હતી. શોક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. (સંદેશ તા. ૨૫-૧૦-૪૯). જૈનાચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજને સ્વર્ગવાસ અમદાવાદ, સોમવાર મહાન જૈનાચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રીએ આ વદ અમાસ દિવાળી પર્વને દિવસે સાંજના સાત વાગે મહુવા મુકામે સમાધિપૂર્વક સ્વર્ગારોહણ કર્યું છે. * અમદાવાદ જૈન સંઘની સભા આચાર્યશ્રીના અવસાન અંગે પ્રસ્તાવ કરવા આજે સવારે મળી હતી, અને તેમાં ઠરાવ કરી જૈન શાસનના સ્થંભરૂપ, અનેક તીર્થોદ્ધારક, ષશાસ્ત્ર વિશારદ, આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજીનું સ્વર્ગારોહણ થયું તેથી જગતને એક મહાન આધ્યાત્મિક આત્માની ખોટ પડી છે, એમ જણાવી આવા અનેક ઉચ્ચ ચારિત્ર્યવાળા અને શાસનના સેવકે અવિચ્છિન્ન પ્રભાવશાળી વીતરાગ શાસનમાં પ્રગટ થાએ એવી પ્રાર્થના કરી હતી. સ્વર્ગસ્થ આચાર્યના માનમાં આજે શહેરના તમામ બજારે બંધ રહ્યા હતા, અને કાલે મંગળવારે પણ બંધ રહેનાર છે. (વર્તમાન તા. ૨૫-૧૦-૪૯) મા આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રીના દેહોત્સર્ગ અંગે અમદાવાદ જૈન સંઘની અંજલિ અમદાવાદ, સોમવાર. જૈન શાસનના જાણીતા આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રી ૭૭ વર્ષની વયે મહુવા મુકામે સમાધિપૂર્વક સ્વર્ગસ્થ થયા છે, તે બદલ આજે સંઘપતિ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy