SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ વાક્યને કાંઠે : કરેલા ગાકીરા ધીમા પડ્યા પછી પૂજ્યશ્રીએ તેમને સમજાવ્યાં કે અમે ભગવાન લેવા નથી આવ્યા. અને આ ભગવાન અહીં જ રાખવાના છે, કયાં ય લઇ જવાના નથી. ૩૦૫ પેલા લોકોને પૂજ્યશ્રીની આ વાત પર વિશ્વાસ બેઠા, પછી તે તેમણે જ ઢોલ-નગારાં લાવીને પૂજ્યશ્રીનું સામૈયું કર્યું. આ પછી અહીં ઝવેરી ડાહ્યાભાઇ કપુરચંદના કુંટુબીઓએ જિનાલય બધાવ્યું હતું. તેમાં એ પ્રતિમાની પ્રતિષ્ઠા કરવાની હતી. તે પણ શેરીસાની પ્રતિષ્ઠા પછી તરત કરી લેવાના નિણૅય થયા. ચૈત્રમાસમાં ૧૫–૨ માઇલના ધીમા ધીમા વિહાર કરીને દસેક મુકામે પૂજ્યશ્રી શેરીસા પહેાંચ્યાં. ત્યાં વૈશાખશુદ દશમના દિવસે ઘણાં ઠાઠમાઠપૂર્વક મૂળનાયકજી શ્રીશેરીસાપાર્શ્વનાથ, તથા ભેાંયરામાં એક ગેાખલામાં પ્રાચીન શ્રીપાર્શ્વનાથ, બીજા ગેાખલામાં શ્રી કેસરિયાજી પ્રભુ વગેરે જિનખિએ અને દેરાસરની બહાર એ ચાકિયાળામાં શ્રી ખિકાદેવી તથા શ્રીપદ્માવતી દેવી વગેરેની પ્રતિષ્ઠા કરાવી. આ પ્રસ ંગે પૂજ્યશ્રીના અનન્ય ભક્તશ્રાવક શેઠ પ્રતાપસિંહ ભાઈની ભાવના અંજનશલાકા કરાવવાની હતી, પણ તેએ બે મહિના પહેલાં જ મુબઈમાં સ્વવાસી થયા, એટલે એમની એ ભાવના સફળ ન થઈ શકી. શેરીસાથી વામજ પધારીને ત્યાં વૈશાખ શુદિ તેરશે પ્રતિષ્ઠા કરાવી. પછી પુનઃ અમદાવાદ પધાર્યાં. સાબરમતીના સંઘના ચામાસા માટે અતિઆગ્રહ થયા, પણ ક્ષેત્રસ્પનાએ સ. ૨૦૦૨નું આ ચામાસું પણ અમદાવાદ-પાંજરાપોળે મિરાજ્યાં. ચામાસામાં નિશાપેાળ દેવશાના પાડા વગેરે સ્થળોના દેરાસરામાં શ્રીસિદ્ધગિરિજી વગેરે તીર્થોના પટાની પ્રતિષ્ઠા કરાવી. ખીજા પણ મહાત્સવે થયાં. ચામાસુ પૂર્ણ થતાં જ વઢવાણુના આગેવાને આવી પહોંચ્યાં. એ આગેવાનાએ અભિગ્રહ ધાર્યાં હતા કે પૂજ્યશ્રી વઢવાણુ પધારીને પ્રતિષ્ઠા ન કરાવે, ત્યાં સુધી ‘ધી' ત્યાગ. તેઓ એમ પણ નક્કી કરીને આવેલાં કે-અમુક જણાએ વિહારમાં છેક સુધી સાથે રહેવું. એમની આવી ભાવના અને વિનતિ જોઈ ને પૂજ્યશ્રીએ તે તરફ વિહાર કરવાના નિય કર્યાં, અને માગશર વદ ૧૧ના દિવસે વિહાર શરૂ કર્યાં. પહેલા મુકામ એલિસબ્રીજ વિસ્તારમાં આવેલાં શેઠ હીરાચંદ રતનચંદ્નના ‘શાન્તિસદન’ અગલે કર્યાં. પાંજરાપાળથી આ મંગલા દોઢ માઈલ દૂર હતા. પૂજ્યશ્રીનું શરીર ઘણું અશક્ત બની ગયું હતું. આટલા ટુંકો પંથ કાપતાં પણ કેટલીયે વાર વિસામા માટે બેસવું પડયું. બે-ત્રણવાર તેા સૂઈ જવું પણ પડયું. બે વાર ચક્કર આવી ગયા. ટુંકમાં-ઘણાં પરિ શ્રમે મગલે પહેાચ્યાં. તમિયતના કારણે બંગલે આઠ દિવસ સ્થિરતા કરી. આ બધા બનાવ વઢવાણવાળા ભાઈઓએ નજરે જોયા. તેમને થયું કે આવી અવસ્થાએ અને તખિયત ગુરુમહારાજને વઢવાણુ લઇ જવા વ્યાજબી નથી. તેમ તેઓશ્રી આ વર્ષે આવશે પણ નહી જ. ૩૯ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy