SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ શાસનસમ્રાટ્ અપાવી. એટલુ' જ નહિ, પણ એ બધી વસ્તુઓ રાહિશાળા લઈ જવા માટે રાજ્યની એ માટી પણ આપી. હવે મુદ્દાની વાત રજૂ કરી કે : સાહેબ ! પ્રતિષ્ઠા તા` લીધી છે, પણ ખાંડની માટી તકલીફ છે. ૧૫થી ૨૦ હજાર માણુસ ભેગુ થાય, તેમને ખાંડ શી રીતે પૂરી પાડવી ? એ મુંઝવણ ઊભી થઈ છે. માટે અમને ખાંડ મળે એવા કાઈ રસ્તે કાઢી આપે. પટ્ટણી સાહેબ કહે : એ કઈ રીતે બને ? શ્રીવળામાં અમાશ ભાઇ આમાં લગ્નપ્રસંગ છે, ત્યાં પણ ખાંડ નથી આપી. આ સાંભળીને ચીમનભાઇ વગેરેએ અરજ કરી માર્ગ તે આપે કાઢી આપવા જ પડશે. આપની વાત ખરાખર છે. છતાં કોઈ પટ્ટણી સાહેમ માગ વિચારવામાં પડ્યા. તે વખતે ત્યાં બેઠેલા એક અધિકારી શ્રીગજા નનભાઈ ને એકાએક રસ્તા સૂઝી આવ્યેા. તેમણે પૂછ્યું : ખાંડને બદલે સાકર ચાલે નહિ ? (કારણ કે– રેશનિંગ ખાંડનુ હતું, સાકરવું નહિ.) સૌએ આ વાતને વધાવી લેતાં કહ્યું : ‘સાકર તેા જરૂર ચાલશે, સાહેબ !” એટલે તરત જ પટ્ટણી સાહેબના હુકમથી સાડા પાંચ મણિયા પચીસ કાથળા સાકર' દસ રૂપિયાના ભાવથી આપવામાં આવી. આમ માટી ચિંતા દૂર થવાથી સૌ ખૂબ આનંદિત થઈને રાહિશાળા આવ્યા. વઢવાણુ કેપમાં શ્રીખારોટ સાહેબ કરીને એક ડેપ્યુટી પાલિટિકલ એજન્ટ હતા. તેમણે પણ આ ગૃહસ્થાની વાત ધ્યાનમાં લઈને ચાક દાઢાના થાણુદારાને હુકમ કર્યાં કે : ‘વરા જોગ ખાંડ આપવી.' આથી એ થાણુદારાએ પણ આ ગૃહસ્થાને કહી દીધું કે : આવા હુકમ છે, માટે તમારે જોઇએ તેટલી ખાંડ લઈ જાવ. હવે કાંઈ વાંધા નથી. આ રીતે પૂજ્યશ્રીના આશીર્વાદથી ખાંડના પ્રશ્ન હલ થઈ જતાં બાકીની તમામ તૈયારીએ ઝડપભેર કરીને મહાવિદ દશમે મહાત્સવની શરૂઆત કરવામાં આવી. મત્સવમાં સૌની ધારણા મુજબ પદર હજારથી વધુ માણસા એકત્ર થયા. અંજનશલાકા માટે ૫૦૦ ઉપરાંત જિનમિ ં આવ્યા હતા. ફાગણુ શુદ્ધિ ખીજના દિવસે એ બધાંની અ ંજનશલાકા પૂજ્યશ્રી આદિ સૂરિવોએ કરી. અને ફાગણ શુદ્ધિ ત્રીજના દિવસે શુભ ચાઘડિયે દેશસરમાં મૂળનાયક શ્રી આદીશ્વરપ્રભુ સહિત વીસ જિનખિંબાને ગાદીસ્થાપનવિધિ થયા. પૂજ્યશ્રીની ઘણાં વર્ષોની દીર્ઘ દ્રષ્ટિભરી ભાવના પૂર્ણ થઈ. ૧. આ ગામ શેત્રુંજી નદીના કિનારા પર હતું. કેટલાંક વર્ષોં પછી સરકાર તરફથી શેત્રુંજી નદીના બંધ (ડેમ) ની યાજના અમલમાં આવતાં નદી કિનારાના ધણાં ગામે પાણીમાં ગયા. એ સાથે આ રાહિશાળા પણ પાણીમાં ગયું. એ વખતે હિંમતવાન બાહાશ શ્રાવકોએ આ દેરાસરમાંના તમામ જિનબિંબે તથા અન્ય ઘણી સામગ્રી લઈ લીધી, દેરાસર પાણીમાં ગયું. ડૂબેલા ગામેાના લોકોને તેમની માંગણી અનુસાર સરકારે બીજી જમીન તથા સારી રમતું વળતર આપ્યું. એ જમીનેામાં તે ગામા નવાં વસ્યાં. જિનદાસ ધદાસની પેઢીની રાહિશાળામાં ૩૨ વીધાં જમીન હતી, તેની ફેરબદલીમાં પાલિતાણાથી છ માઈલ દૂર આવેલ શેત્રુંજી ડેમની નિકટમાં ઈરીગેશન ખાતાએ ખાસ પસંદ કરેલી (એક્વાયર કરેલી ) નવ વીધાં જમીન પેઢીએ સરકાર પાસે માગી. તે વખતના ગુજરાતના ઈરીગેશન ખાતાના ચીફ એક્ એંજિનીયર શ્રી નટવરલાલભાઈ સંધવી સાહેબના પૂરા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy