SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ શાસનસમ્રાટ એ દરમ્યાન આ. શ્રીવિજયદાનસૂરિ મ; વિયલબ્ધિસૂરિ મ વિજ્યનીતિસૂરિ મ., વિજયવલ્લભસૂરિ મ. વગેરે સર્વ આચાર્યાદિ મુનિવર સપરિવાર આવી પહોંચ્યા. શ્રીવલ્લભસૂરિજી મ. પાલિતાણાથી અમદાવાદ પધારતા હતા, ત્યારે માર્ગમાં સોનગઢ ગામમાં ચારિત્ર રત્નાશ્રમના સ્થાપક મુનિશ્રી ચારિત્રવિજયજી મળ્યા. તેમણે આચાર્યશ્રીને સૂચવ્યું કેઃ “મહાભારતના યુદ્ધમાં જેમ કૌરએ કૃષ્ણની સેના માગી, પણ કૃષ્ણ પિતે તે પાંડેના પક્ષે જ રહ્યા. ને છેવટે મહાભારતમાં પાંડવોની જ જીત થઈ તેમ બીજાં ઘણાં એક પક્ષમાં ભલે થઈ જાય. પણ આચાર્યશ્રી નેમિસૂરિજી મ. જે પક્ષમાં હશે, તેને વિજય નિશ્ચિત છે. અર્થાત–તેઓ જે કાર્ય કરવા ધારશે તે જ થશે, એ ધ્યાનમાં રાખજે.” આ પછી શ્રી નીતિસૂરિજી મ. શ્રીવલ્લભસૂરિજી મ., શ્રી વિદ્યાવિજયજી મ. વગેરે મુનિરાજે સંમેલનની સફળતાને વિચાર કરવા માટે અને એક મજબૂત જૂથ ઊભું કરવા માટે દહેગામમાં ભેગા થયા. કેટલાક ઠરાવો પણ કર્યા. પણ ત્યાંથી તેઓ અમદાવાદમાં આવ્યા, ને ત્યાં પૂજ્યશ્રીના વ્યાપક વર્ચસ્વને જોયું, ત્યારે તેઓ સૌને ખાત્રી થઈ ચૂકી કે–શાસનસમ્રાર્ની આગેવાનીથી જ સંમેલન સફળ બનશે, તે સિવાય નહિ. પૂ. આ. શ્રી સાગરાનંદસૂરિજી મ. પણ છાણીથી વિહાર કરીને આવી રહ્યા હતા. એક સમય એ હતો કે શ્રીસિદ્ધિસૂરિ મ., દાનસૂરિ મ, લબ્ધિસૂરિ મ., તથા શ્રીસાગરજી મ. , આદિને પારસ્પરિક સુંદર મનમેળ હતો. પણ પછીથી કેટલાંક કારણસર એ મનમેળનું સ્થાન 'મતભેદ અને મનભેદે લીધું હતું, હવે આ વખતે નગરશેઠની ઈચ્છા એવી કે- પૂજ્યશ્રી તથા શ્રીસાગરજી મ. સાથે જ રહે. તેમણે એ પણ જાણી લીધું કે-શ્રીસાગરજી મ. ની પણ એવી જ ઈચ્છા છે. - પૂજ્યશ્રી તે ઉદારદિલ હતા. તેમના મનમાં મામકા પારકાના ભેદને સ્થાન ન હતું. તેઓશ્રી પણ શ્રીસાગરજી મ. ને સાથે ઉતારવાના વિચારવાળા જ હતા. સાગરજી મ. ના પધારવાના દિવસે શ્રીવિજયદયસૂરિજી આદિ મુનિવરેને તેઓશ્રીએ સામે પણ મોકલ્યા. તેઓ આવી ગયા પછી તેમની સાથે જ નગરપ્રવેશ કર્યો. સૌ પાંજરાપોળ-ઉપાશ્રયે બિરાજ્યા. પૂજ્યશ્રીએ પિતાની વિલક્ષણ બુદ્ધિ, કુનેહ અને દૃષ્ટાન્તરૂપ ધીરજ તથા ઉદારતા વડે આંતરિક મતભેદેને દૂર કરીને સંપનું વાતાવરણ સર્યું. આમ થવાથી શ્રીસાગરજી મ. તથા શ્રીવલ્લભસૂરિજી મ. વગેરે સંતોષ પામ્યા. જે કે-કેટલાંક વિજ્ઞસંતોષી પરિબળ પણ હતાં. તેઓ આ સંમેલનને માટે તે અવ્યવસ્થિત હોવાથી નિષ્ફળ જશે એવી આગાહીઓ ઉચ્ચારતાં ફરતા હતાં. પણ ખરૂં કહે તે મહાન કાર્યો અને મહાન પુરુષની ખરી મહત્તા એના વિરોધી પરિબળે પરથી જ અંકાય છે. આમાં પણ એવું જ બન્યું. એ વિરોધી પરિબળોની પ્રવૃત્તિથીસંમેલન કેવું ભગીરથ કાર્ય છે? અને તેથી જ આ કાર્યને હાથ ધરનાર પુરુષો કેવાં મહાન છે? એ વાત જનતા સારી રીતે સમજતી થઈ. પરિણામ એ આવ્યું કે-લોકોએ વિરોધીઓની અવગણના કરી. નિયત કરેલા ફાગણ વદિ ત્રીજ-રવિવાર તા. ૪-૩-૧૯૩૪ના શુભ દિવસે શ્રીનગરશેઠના વંડાવીલામાં બાંધવામાં આવેલ વિશાળ છતાં સુંદર મંડપમાં શુભ ચોઘડિયે આ ઐતિહાસિક Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy