SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ નમસ્તે કા ! આ સાંભળતા તારાચંદ્રજી કહે: તા ૩૧ હૅજાર. પુન: આગ્રહ થયે! કે આગળ વધા. તેમણે છેલ્લા આંક ખાલી દીધા : ૪૧ હજાર રૂપિયા. હવે અદરાઅંદર વિચારણા ચાલી. શેઠ માણેકલાલ મનસુખભાઈ, શેઠ પ્રતાપસિંહ માહેાલાલભાઈ વગેરે કહેઃ ૪૧ હજારમાં આવેા આદેશ ન અપયા. તત્ત્વવિવેચક સભાના સભ્યા ટીપ કરે, ને સભાના નામે આદેશ લે. ૨૪૭ શેઠ માણેકલાલભાઈ એ ટીપની શરૂઆત કરી. રૂ. ૫૧ હજાર નોંધાવ્યા. વળી તેમણે પ્રતાપસિંહભાઈ દ્વારા રૂ. ૬૫ હજારમાં પોતાની સ્વતંત્ર માગણી પણ મૂકાવી. આ વખતે પૂજ્યશ્રી એલ્યા : તમે તા કરોડપતિ છે. તમે ગમે તેટલી મોટી રકમ આપે, તે પણ તે તમારી મિલકતના સહસ્રાંશ પણ નથી. જ્યારે આ તારાચંદ્રજી તે પેાતાની સમગ્ર મિલકતમાંથી અધ ભાગ (એક દ્વિતીયાંશ) આપવા તૈયાર છે. માટે એની ઉચ્ચ ભાવના જોતાં આ આદેશ એમને જ આપવા ઉચિત છે. મેલેા આદીશ્વર ભગવાન્ની જય. બધાંએ આ જયકાર ઝીલી લીધેા. સૌ તારાચંદજીના ભાગ્યને અભિન'દી રહ્યા. તારાચંદ્રજીના ઉલ્લાસ અવનીય હતા. તેઓ હર્ષાશ્રુથી પૂજ્યશ્રીના ચરણ પખાળી રહ્યા હતા. * ચૈત્ર માસની શ્રીનવપદજીની શાશ્વતી આળી નજીક આવતી હતી. શ્રીનવપદ આરાધક સમાજ'ના ઉપક્રમે એ એળીની આરાધના પ્રતિવષ જુદા જુદા તીર્થસ્થળે વિભિન્ન સગૃહસ્થાના સહકારથી થતી હતી. એ મુજબ આ આળી શ્રી તાલધ્વજગિરિ (તળાજા) તીથ'માં કરવાના નિ ય થયા હતા. સ’સ્થાના પ્રમુખ શ્રીનગીનદાસ કરમચંદ સંઘવી વગેરે ગૃહસ્થાને આ આરાધના પૂજ્યશ્રીની પુણ્યનિશ્રામાં કરાવવાની ભાવના થઇ. તેમણે એ માટે પૂજ્યશ્રીને વિનતિ કરી. એટલે પૂજ્યશ્રી તળાજા પધાર્યાં. નિમંત્રણપત્રિકા દ્વારા સકલશ્રીસંઘને આમંત્રણ પાઠવવામાં આવ્યું. સેંકડો ભાવિકો ત્યાં એકત્ર થયા, ને વિધિપૂર્વક ઓળીનું આરાધન કર્યું. નવે દિવસ પૂજા-પ્રભાવના થઇ. આ પ્રસ ંગે મહુવા તથા ભાવનગરના શ્રીસ ંઘા ચામાસાની વિનતિ કરવા આવ્યા. અન્ને સઘ પેાતાને ત્યાં પધારવાના આગ્રહ કરવા લાગ્યા. મહુવામાં જિનાલયનું કાર્ય ચાલતું હાવાથી ચામાસા પૂર્વે એકવાર મહુવા જઈ આવવાની પૂજ્યશ્રીની ભાવના હતી. એથી મહુવાવાળાએ વધારે જોર કર્યું". ત્યારે ભાવનગરના સ ંઘે કહ્યું કે : આપશ્રી મહુવા જરૂર પધારે, પણ પછી ભાવનગર પધારવાનું જ છે. ત્યાં પધાર્યા સિવાય ચામાસાના નિર્ણય નહિ લેતાં, એવી અમારી વિનંતિ છે. એમાં વાત માનીને પૂજ્યશ્રી મહુવા પધાર્યાં. દેરાસરનું કામ ચાલુ હતુ. દેરાસરની જોડેનુ' એક જીણુ મકાન શ્રીવિજયનેમિસૂરિ જ્ઞાનશાળા માટે શ્રીતત્ત્વવિવેચક સભાએ ખરીદેલુ. તેનું સમારકામ પણ ચાલતું હતું. તે ખધાંનું નિરીક્ષણ કરીને તેઓશ્રી ત્યાંથી ભાવનગર પધાર્યા. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy