SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ જેસલમેર જુહારીએ વધારે જ છે, ઘટવા દેતી નથી. ફલેધીમાં જ સંઘવી ઉપર મદ્રાસથી તાર આવ્યો કે કપૂરના વ્યાપારમાં ૩ લાખ રૂ. ને નફો થયે છે.” સકળ સંઘ સમક્ષ એ તાર જાહેર કરતાં સંઘવી-ભાઈઓએ કહ્યું કેઃ “ધર્મના પ્રભાવે શ્રીસંઘને તમામ ખર્ચ આવી ગયું છે, અને અમારી મૂળ મૂડી તે અકબંધ જ રહી છે.” એટલું કહીને તેમણે ઉમેર્યું: “અમારા માતુશ્રીએ ઘાસના ભારા લાવીને અમારું પિષણ કર્યું છે. કેઈકવાર અમે ઘીની માગણી કરીએ તે અમારા માતુશ્રી કહેતાં કે–આજે તમને ઘી આપું, તો કાલે રોટલાં ક્યાંથી ખાઈશું? આવી અમારી સ્થિતિ હતી. પણ કેઈ શુભ પળે અમને મદ્રાસ જવાની બુદ્ધિ થઈ, અને ત્યાં ભાગીદારીમાં વ્યાપાર કરતાં નફે થયે, પહેલાં જ વર્ષે અમે ૧૫ હજાર કમાયા. એમાંથી છા હજાર અમે પાલિતાણુંમાં ખર્ચા અને છ હજારનું દેવું ચુકવ્યું. બીજા વર્ષે અમે ૨૨ હજાર કમાયા. આમ કમાણી ઉત્તરોત્તર વધતી જ ગઇ. એ બધાય પ્રભાવ ધર્મ ના જ છે. એ લક્ષમી જેમ જેમ અમે ધર્મમાગે ખચી, તેમ તેમ વધતી ગઈ. આ કેવળ ધર્મને જ પ્રભાવ છે. સંઘમાં આવેલા કોઈપણ ભાઈ–બહેને પ્રત્યે અમારા તરફથી કોઈ પણ અવિનય-અપરાધ થયે હોય તે અમે ક્ષમા યાચીએ છીએ.” આ પ્રમાણે ગદ્ગદકઠે નિવેદન કરી, પૂજ્યશ્રીની અનુજ્ઞા લઈને તેઓ સંઘ સહિત પિતાના ગામ ગયા. અને પૂજ્યશ્રી સં. ૧૯૭૩ નું ચાતુર્માસ ફલોધીમાં બિરાજ્યા. [૩૮] પૂજ્યશ્રી અનુભવના મહાસાગર હિન્દુસ્તાનના કેઈપણ શહેરમાં ન હોય એ –એતિહાસિક ઉપાશ્રય અહીં–ફલેધીમાં હતું. તે ૮૪ ગછને ઉપાશ્રય હતો. ચોરાશી ગચ્છમાંથી કોઈપણ ગચ્છના સાધુ આવે, તે આ ઉપાશ્રયમાં ઉતરતા. બીજાં ગામોમાં ઉપાશ્રય તો હોય છે, પણ તે અમુક અમુક ગચ્છના જ. પણ અહીં તે તપાગચ્છ, ખરતરગચ્છ, અંચલગચ્છ, કમળાગચ્છ, વિ. વિવિધ-ગચ્છની માન્યતાવાળા શ્રાવકે રહેતા હોવાથી ઉપાશ્રય પણ ૮૪ ગચ્છને હતો. અને બીજો એક ચૌભુજાને ઉપાશ્રય હતે. ચૌભુજાના ઉપાશ્રયે પૂજ્યશ્રી સપરિવાર ચાતુર્માસ બિરાજ્યા, અને ૮૪ ગચ્છના ઉપાશ્રયે હંમેશાં વ્યાખ્યાન આપતા. ચાતુર્માસ દરમ્યાન ફલોધીના ધનવાન અને આગેવાન ત્રણ ગૃહ-શ્રી માણેકલાલજી કચર, શ્રીશિવલાલજી કેચર, તથા શ્રી શિવદાનજી કાનુગાએ ભાગીરથીના ભવ્ય પ્રવાહ શા પૂજ્યશ્રીના અમેઘ ઉપદેશને ઝીલી લઈને એક એક સ્થાયી–ધર્મકાર્ય કરવા નિર્ણય કર્યો. માણેકલાલજી કેરે તળાવ-કિનારે શ્રી મહાવીર પ્રભુનું નૂતન જિનાલય બંધાવવાનું સ્વીકાર્યું. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005301
Book TitleShasan Samrat
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherTapagacchiya Sheth Jindas Dharmdas Dharmik Trust
Publication Year1973
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy